નૌસેનાએ ગુજરાતનાં તમામ બંદરગાહોની સુરક્ષાને લઇને એલર્ટ શરૂ કર્યુ છે. તટરક્ષક સુરક્ષાદળોને સતર્ક રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. નૌસેનાનો અંદેશો છે કે કચ્છનાં રણમાં સરક્રીકનાં હરામી નાળા વિશે પાકિસ્તાની કમાન્ડો અંદર આવી શકે છે.
નૌસેના પ્રમુખે પોતાનાં એલર્ટમાં કહ્યું કે, પાકિસ્તાની કમાન્ડો કચ્છમાં ઘુસી શકે છે. આ કારણ તટરક્ષક સુરક્ષાદળ એલર્ટ રહે. આ પહેલાં નૌસેનાએ પોતાનાં તમામ યુદ્ધજહાજોને એલર્ટ પર રાખ્યાં હતાં. તમને જણાવી દઇએ કે પાંચ દિવસ પહેલા સીમા સુરક્ષા દળ (બીએસએફ) એ ગુજરાતનાં કચ્છ જિલ્લાની પાસે ભારત-પાકિસ્તાન સીમાથી હરામી નાળા (Harami Nala) ક્રીક ક્ષેત્રમાં પાકિસ્તાનની માછલી પકડનારી બે ખાલી હોડીને જપ્ત કરી હતી. આ હોડીઓને જપ્ત કર્યા બાદ બીએસએફએ સર્ચ અભિયાન શરૂ કર્યુ હતું.
ભારત-પાકિસ્તાન સીમાથી લાગેલી કચ્છનાં સરક્રીકમાં 'હરામી નાળું' છે. સામાન્ય લોકોને માટે પૂર્ણ રૂપથી પ્રતિબંધિત આ ક્ષેત્રમાં 8 કિ.મી લાંબો ખતરનાક કીચડ છે. આ વૉટર ચેનલ અંદાજે પાંચ સો વર્ગ કિ.મીમાં ફેલાયલી છે. છેલ્લાં કેટલાંય વર્ષોથી આ વિસ્તાર પાકિસ્તાની માછીમારો દ્વારા જળસીમાનાં ઉલ્લંઘનનાં સાક્ષી રહ્યાં છે. પાકિસ્તાને આ વિવાદિત ક્રીક ક્ષેત્રને બે કિલોમીટર લાંબી અને 50 મીટર પહોળી એક કૃત્રિમ ચેનલ ખોદીને મિલાવી લીધેલ છે.
થોડાં દિવસ અગાઉ જ પાકિસ્તાની બોટ મળી હતી
24 ઓગસ્ટના રોજ બોર્ડર સિક્યુરિટી ફોર્સને કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક માછીમારીની બે ખાલી બોટ મળી આવી હતી. આ બોટ કચ્છના 'હરામી નાળા' નજીકથી મળી આવ્યા બાદ બીએસએફ દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું.
જો કે આ નૌકાઓમાંથી કોઈ શંકાસ્પદ સામાન મળી આવ્યો ન હતો. તેમ છતાં, સુરક્ષા એજન્સીઓ દ્વારા આતંકવાદી હુમલાના ઇનપુટ મળ્યા બાદ આસપાસના કેટલાક વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.