લોકડાઉન 4.0 બાદ ટ્રેનની સુવિધા બાદ હવે 25 તારીખથી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પણ શરૂ કરવાની તૈયારીઓ થઈ રહી છે. આ સમયે ઉડ્ડયન વિભાગે એક એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરીમાં આપવામાં આવેલા નિયમોનું પાલન દરેક પેસેન્જર્સે કરવું અનિવાર્ય છે. આ માટે કઈ કઈ સાવધાની રાખવી અને કેટલા કલાક પહેલાં એરપોર્ટ પહોંચવું તે પણ તમારે જાણી લેવું જરૂરી છે. તો જાણી લો એડવાઈઝરીમાં આપવામાં આવેલા નિયમો.
25 મેથી ડોમેસ્ટિક ફ્લાઇટો થશે શરૂ
ફ્લાઇટ માટે ઉડ્ડયન વિભાગ દ્વારા એડવાઇઝરી જાહેર
બાળકો અને એડલ્ટ માટે છે આ ખાસ નિયમો
એડવાઈઝરીમાં આપવામાં આવ્યા છે આ ખાસ નિયમો
પેસેન્જરોએ 2 કલાક પહેલા એરપોર્ટ પહોંચવું પડશે.
પેસેન્જરોએ માસ્ક અને ગ્લોવ્ઝ પહેરવા ફરજિયાત.
પેસેન્જરોએ માટે આરોગ્ય સેતુ એપ ફરજિયાત.
14 વર્ષથી નાના બાળકો માટે આરોગ્ય સેતુ એપ ફરજિયાત નહીં.
એન્ટ્રી ગેટ પર CISF આરોગ્ય સેતુ એપ ચેક કરશે.
ટર્મિનલ બિલ્ડીંગમાં પ્રવેશતા પહેલા થર્મલ સ્કિનિંગ થશે.
જરૂરિયાતવાળા પેસેન્જરોને જ ટ્રોલીની સુવિધા મળશે.
ટ્રાફિક ન થાય માટે ટર્મિનલના તમામ ગેટ ખુલ્લા રાખવા.
તમામ ચેકિંગ-એન્ટ્રી ગેટ પર સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ.
રાજ્ય એરપોર્ટ માટે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા સુનિશ્ચિત કરે.
લૉકડાઉનને કારણે લાંબા સમયથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર પાબંધી લાદવામાં આવી હતી. તાજેતરમાં જ સરકારે રેલવે સેવાની ફરીથી શરૂઆત કરી અને હવે ડોમેસ્ટિક ફ્લાઇટ પણ 25 મેથી સોમવારથી શરૂ થશે. આ અંગેની સૂચનાઓ તમામ એરપોર્ટને આપવામાં આવી છે.
નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ મંગળવારે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, હવાઇ સેવા શરૂ કરવાની જવાબદારી કેન્દ્રની સાથે રાજ્યોની પણ છે. તેમણે પણ તૈયાર રહેવું પડશે. રસપ્રદ વાત એ છે કે, 25 માર્ચથી દેશમાં લાગૂ કરવામાં આવેલ લૉકડાઉનના સમયથી હવાઇ ઉડાન પર રોક લગાવવામાં આવી છે. ત્યારે હવે 31 મે સુધી લૉકડાઉનનું ચોથો તબક્કો યથાવત રહેશે.