ઉનાળો શરૂ થઇ ગયો છે. દિવસે દિવસે ગરમીના તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે લૂ લાગવાના ઘણા કેસ બહાર આવે છે. આજે અમે તમને કેટલાક લૂ થી બચવા માટેના ઘરેલૂ ઉપચાર જણાવીએ છીએ.
ઉનાળાના દિવસોમાં તડકામાં ફરવાના કારણે લૂ લાગી જાય છે. એમાં તાવ અને બેચેની હોવાની સાથે ઉલ્ટી પણ થઈ શકે છે.
શરીરમાં પાણીની માત્રા ઓછી થઈ જાય છે. જેના લીધે માથાના દુખાવા, ચક્કર, હાથ પગ-કાંપવું , નબળાઈ જેવા લક્ષણ જોવાય છે. લૂ લાગે ત્યારે તમને એવા જ થોડા ઘરેલૂ ઉપાય જણાવી રહ્યા છે. જેના ઉપયોગ કરીને તમે લૂથી બચી શકો છો.
ફુદીનાના શરબતમાં જીરું અને લવિંગના પાવડર મિક્સ પીવાથી લૂથી બચાવ થાય છે.
કાચા બટાટાના રસમાં મધ મિક્સ કરી પીવાથી લૂ થી બચાવ થાય છે.
લૂ લાગતા કાચા બટાટાના રસ કાઢી શરીર પર લગાવો.
લૂ લાગતા ડુંગળી ના રસ કાઢી શરીર પર ઘસો.
કોથમીરના રસમાં ખાંડ અને પાણી મિક્સ કરીને પીવાથી લૂથી બચાવ થાય છે.
લૂ લાગતા કોથમીરના રસમાં બરફના પાણી મિકસ કરી પગના તળિયે લગાવવાથી આરામ મળે છે.
શરબતમાં બરફ નાખી પીવાથી લૂથી બચાવ થાય છે.
લૂ લાગતા બરફના પાણીમાં સ્પંચ કરો અથવા બરફના પાણીમાં ચાદર પલાળી શરીર પર લપેટી લો.
લૂ લાગતા ફુદીનાના પાનને વાટીને શરીર પર લેપ કરો.
કાચી કેરીના શરબત બનાવીને પીવાથી લૂ થી બચાવ થાય છે.