ભાવનગર જિલ્લાના ખેડૂતોએ ભીમઅગિયારસના દિવસે વાવણીનું મુર્હત કરતાની સાથે જ સમયસરનો વરસાદ થવાથી ખેડૂતો ખુશખુશાલ છે અને ખેડૂતોનું કહેવું છે કે જો આ વર્ષે આ મુજબ સમયાંતરે વરસાદ આવરિત પાને વરસશે તો વર્ષ સોળ આની થશે અને ખેડૂત ના ખેતરમાં પાક મબલખ ઉતરશે.
ભાવનગર શહેર અને જીલ્લામાં સામાન્ય રીતે સિઝનમાં ૬૯૦ મિલીમીટર વરસાદ નોંધાતો હોય છે અને તેને કારણે જીલ્લામાં મબલખ પાક પણ ઉપલબ્ધ થાય છે આ વર્ષે ભાવનગર જીલ્લ્લામાં અત્યાર સુધી માં સીઝનનો ૪૦ ટકા વરસાદ વરસી ચુક્યો છે અને તેને કારણે ધરતીપુત્રો માં ખુશી ની લહેર જોવા મળી છે ભાવનગર જીલ્લામાં અંદાજે ૬.૫૦ લાખ હેક્ટર જમીનમાં વિવિધ પ્રકારના પાકો નું વાવેતર થાય છે ભાવનગર જીલ્લામાં સૌથી વધુ વાવેતર ૪ લાખ હેક્ટર માં કપાસ નું થાય છે.
ત્યારબાદ બાજરી,મગફળી,ધઉં અને ડુંગળી નું વાવેતર ખેડૂતો કરે છે. ભાવનગર જીલ્લામાં અત્યારસુધી માં ૧૭૦ મીલીમીટર વરસાદ વર્ષી ચુક્યો છે. જીલ્લામાં સિહોર,ઘોઘા,પાલીતાણા અને વલ્લભીપુર જેવા પંથકો માં વાવણીનું કાર્ય સફળ પૂરું થયા બાદ હવે ખેડૂતો ખેતરમાં બિયારણ છાંટવાના કામ માં જોડાયા છે ખેડૂતો નું કહેવું છે કે આ વર્ષે વાવણી પછી સમયસર વરસાદ થયો છે પરંતુ હજુ આગામી દિવસો માં આ પ્રકારે વરસાદ વરસવો જરૂરી છે.
ભાવનગર જીલ્લામાં થયેલ વરસાદ ના કારણે હાલ ખેડૂતો તેમના સહ પરિવાર સાથે આ કામમાં જોડાઈ ચુક્યા છે તો બીજી બાજુ ખેડૂતો આધુનિક ખેતી તરફ પણ વળ્યા છે ભાવનગર જીલ્લામાં અસાઢ મહિનામાં જ મેઘ મહેર થઇ ગઈ છે વરસાદનાં સાર્વત્રિક ને લીધે કપાસ અને બાજરી નું વાવેતર મોટા પાયે થયું છે. ભાવનગર માં આગામી દિવસો માં પણ વરસાદ પૂરતા પ્રમાણ માં વર્ષે તો ખેડૂતો ને ડેમ કે કેનાલ આધારિત પાણી પર નહિ રહેવું પડે અને જેમના કુવા કે બોર માં પાણી નો સંગ્રહ થયો હશે તે વખતે લોકો ને આ વખતે મોટો ફાયદો થશે.
ભાવનગર જીલ્લામાં શરેરાશ ૮૦ ટકા થી વધુ વિસ્તાર માં વાવણી નું કામ પૂરું થઇ ચુક્યું છે અને મોટા ભાગ ના લોકો હવે પાણી ના બચાવ ને લઇ ને પોતાના ખેતરો માં ડ્રીપ ઇરીગેશન માધ્યમ થી ખેતરો માં પાણી પાઈ રહ્યા છે ત્યારે પુરતો વરસાદ અને પુરતો પાક ઉતરે તો ખેડૂતો આ વર્ષે દેવાના ડુંગર માથી બે પાંદડે થઇ શકે તેમ છે તેમ લાગી રહ્યું છે.