ભારતના દરેક ઘરના રસોડામાં વરિયાળીનો ઉપયોગ ખાવાનો સ્વાદ બનાવવા માટે કરવામાં આવે છે. જ્યારે કેટલાક લોકો જમ્યા બાદ વરિયાળી ખાવાનું પસંદ કરે છે. કારણ કે ખાવાનું ડાયજેસ્ટ થઇ શકે. તો આયુર્વેદિક ગુણોથી ભરપૂર વરિયાળીનું પાણી વજન ઘટાડવામાં પણ મદદરૂપ કરે છે.
કેવી રીતે ઘટે છે વજન?
વરિયાળીના પાણીમાં ડાયટરી ફાઇબર હોય છે, જે ભૂખને કંટ્રોલ કરે છે. સાથે જ એમાં એન્ટીસ્પાઝ્મોડિક નામનું તત્વ પેટની માંસપેશિઓને આરામ પહોંચાડે છે, જેનાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે.
વરિયાળીના પાણીમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે શરીરના ઝેરી ટોક્સિન્સને બહાર નિકાળવામાં મદદ કરે છે. એનાથી ચરબી પણ ઓછી થાય છે. જેનાથી વજન પણ ઓછું થાય છે.
વરિયાળીનું પાણી મેટાબોલિક રેટને બૂસ્ટ કરે છે, જેનાથી એક્સ્ટ્રા ફેટ બર્ન થાય છે. સાથે જ આ કેલેરી અને ચરબીને એનર્જીમાં બદલી નાંખે છે. જેનાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે.
વરિયાળીનું પાણી પીવાના અન્ય ફાયદા
સ્વસ્થ રહેવા માટે 7-8 કલાકની ઊંઘ લેવી ખૂબ જરૂરી છે. જ્યારે તમે વરિયાળીના પાણીનું સેવન કરો છો તો મેલાટિનનું લેવલ વધે છે, જેનાથી પૂરતી ઊંઘ લેવામાં મદદ મળે છે.
પેટ સંબંધી કોઇને કોઇ સમસ્યા થવી સામાન્ય વાત છે. એવામાં દવાઓનું સેવન કરવાની જગ્યાએ વરિયાળીનું પાણી પી ને જુઓ, એનાથી પેટ દુખાવો, કબજિયાત, પાચન સંબંધી અન્ય કોઇ સમસ્યા દૂર થઇ જાય છે.
વરિયાળીના પાણીમાં એવા એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. જે શરીરને કેન્સર જેવી ગંભીર બિમારીથી લડવામાં ક્ષમતા આપે છે. આ બ્રેસ્ટ, ફેફસા અથવા અન્ય પ્રકારના કેન્સરથી બચાવ કરે છે.
વરિયાળીનું પાણી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. એમાં પોટેશિયમની માત્રા પણ ભરપૂર હોય છે, જેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.
વરિયાળીના પાણીમાં આયરનનું પ્રમાણ ભરપૂર હોય છે, જેને દરરોજ પીવાથી શરીરમાં હીમોગ્લોબીનનું લેવલ વધે છે અને શરીરમાં એનીમિયાની ખામી પૂરી થાય છે.
વરિયાળીનું પાણી આવી રીતે તૈયાર કરો
વરિયાળીનું પાણી તૈયાર કરવા માટે સૌથી પહેલા એક ગ્લાસ પાણી લઇને એમાં વરિયાળી નાંખીને રાતભર માટે એવું જ રહેવા દો. પછી સવારે ઊઠીને આ પાણીને ગળીને અલગ કરી દો અને ત્યારબાદ સેવન કરો.