કોરોના વિરૂદ્ધ ભારતની લડાઇના વિશ્વસ્તરે વખાણ થઇ રહ્યા છે. ભારતે જે પ્રકારે ન માત્ર મોટા નિર્ણયો લીધા પરંતુ સમગ્ર વિશ્વની મદદ પણ કરી છે. ત્યારે હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધન WHO (World Health Orgnaigation)ના કાર્યકારી અધ્યક્ષ બનનાવવામાં આવશે. 22 મેના રોજ તેઓ પોતાનો કાર્યભાર સંભાળવા તૈયાર છે.
ડૉ હર્ષવર્ધન WHOના કાર્યકારી અધ્યક્ષ બનશે ત્યારે તેઓ જાપાનના ડૉ હિરોકી નકાટાનીની જગ્યા લેશે. જેઓ વર્તમાનમાં 34 સભ્યોની WHO કાર્યકારી બોર્ડના અધ્યક્ષ છે. અધિકારીઓના નામ ન છાપવાની શરતે જણાવ્યું કે મંગળવારે 194 દેશની વિશ્વ સ્વાસ્થ્ય સભા દ્વારા ભારતને કાર્યકારી બોર્ડમાં નિમણૂક કરવાના પ્રસ્તાવ પર હસ્તાક્ષ કર્યા. WHOના દક્ષિણ પૂર્વ એશિયા સમૂહે ગત વર્ષ સર્વસમ્મતિથી નિર્ણય લીધો હતો કે ભારતને ત્રણ વર્ષના કાર્યકાળ માટે કાર્યકારી બોર્ડ માટે પસંદ કરવામાં આવશે.
Union Health Minister Dr Harsh Vardhan is set to take charge as the chairman of the World Health Organization Executive Board. Executive Board meeting of the WHO will be held on 22nd May where India would be elected to the board. (file pic) pic.twitter.com/JuUA5wovG2
અધિકારીઓએ જણાવ્યું કે હર્ષવર્ધનની પસંદગી 22 મેના રોજ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના કાર્યકારી બોર્ડની બેઠકમાં કરવામાં આવશે. ક્ષેત્રીય સમૂવો વચ્ચે અધ્યક્ષ પદ એક વર્ષ માટે રોટેશન દ્વારા નક્કી કરવામાં આવે છે અને આ ગત વર્ષે નક્કી કરવામાં આવ્યુ હતું કે શુક્રવારથી શરૂ થનાર પહેલા વર્ષ માટે ભારતના ઉમેદવાર કાર્યકારી બોર્ડના અધ્યક્ષ હશે.
વર્ષમાં બે વખત થાય છે WHOની બેઠક
એક અધિકારીએ કહ્યું કે, આ પૂર્ણકાલિન કાર્ય નથી અને મંત્રીને કાર્યકારી બોર્ડની બેઠકોની અધ્યક્ષતાની જરૂરીયાત હશે. કાર્યકારી બોર્ડ 43 વ્યક્તિઓથી બનેલું છે જે ટેક્નિકલ રીતે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં યોગ્ય છે. બોર્ડ વર્ષમાં ઓછામાં ઓછા બે વખત બેઠક કરે છે અને મુખ્ય બેઠક સામાન્ય રીતે જાન્યુઆરીમાં થાય છે. સ્વાસ્થ્ય સભા બાદ તરત મેમાં બીજી નાની બેઠક થાય છે. કાર્યકારી બોર્ડના અધ્યક્ષનું મુખ્ય કાર્ય સ્વાસ્થ્ય સભાના નિર્ણયો અને નીતિઓને અસરકારક બનાવવા માટે સલાહ આપે છે.