આરોગ્ય નિષ્ણાંત મુજબ એેનીમિયાથી રક્ત કોશિકાઓમાં ઘટાડો થાય છે. આ સાથે શરીરમાં ઑક્સિજનનો સંચાર યોગ્ય રીતે થતો નથી. આ સ્થિતિમાં દર્દીને થાક, માથાનો દુ:ખાવો, ચક્કર સિરોસિસ વગેરે સમસ્યા થાય છે.
કયા કારણોસર શરીરમાં લોહીની કમી થાય છે
લોહીની કમી થવાથી શરીરમાં આ બિમારી આવે છે
ભારતમાં દરેક છઠ્ઠો વ્યક્તિ એનીમિયાથી પીડિત છે
એેનીમિયાથી રક્ત કોશિકાઓમાં ઘટાડો થાય છે
ખોટી ખાનપાન, ભોજનમાં પોષક તત્વોની કમી, માસિક સ્ત્રાવ, આંતરિક ઈજા વગેરેના કારણે શરીરમાં લોહીની કમી થવા લાગે છે. જેનાથી એનીમિયા દર્દીનુ જોખમ વધી જાય છે. શરીરમાં લોહીની કમીથી એનીમિયા રોગ થાય છે. એક રિપોર્ટ મુજબ ભારતમાં દરેક છઠ્ઠો વ્યક્તિ એનીમિયાથી પીડિત છે. આરોગ્ય નિષ્ણાંત મુજબ એેનીમિયાથી રક્ત કોશિકાઓમાં ઘટાડો થવા લાગે છે. જેનાથી શરીરમાં ઑક્સિજનનો સંચાર યોગ્ય રીતે થતો નથી.
પાલકનુ કરો સેવન
પાલકમાં આયરન પુષ્કળ માત્રામાં હોય છે. આ સાથે 90 ટકા પાણી હોય છે. જેથી વધુ પાલકમાં લ્યૂટીન, પોટેશિયમ, ફાઈબર, ફોલેટ અને વિટામિન-ઈ હોય છે, જે અલગ-અલગ પ્રકારની બિમારીઓમાં ફાયદાકારક હોય છે. જેના સેવનથી શરીરમાં આયરનની કમી દૂર થાય છે. શરીરમાં રહેલા ટૉક્સિન પણ બહાર નિકળી જાય છે. જેના માટે શિયાળામાં આયરનની કમી દૂર કરવા માટે ડાયટમાં પાલકને અવશ્ય એડ કરો.
ઈંડા ખાવ
જેમાં ફોલેટ, ફાસ્ફોરસ, કેલ્શિયમ, સેલેનિયમ, વિટામિન-એે, બી, ઈ અને કે હોય છે, જે આરોગ્ય માટે લાભદાયી હોય છે. ઈંડામાં પ્રોટીન પુષ્કળ માત્રામાં હોય છે. જેના માટે ઈંડાને સુપરફૂડ કહેવામાં આવે છે. જેના સેવનથી આયરનની કમી દૂર થાય છે. ડાયટ ચાર્ટ મુજબ એક ઈંડામાં 1 mg આયરન હોય છે.
કિશમિશનુ કરો સેવન
કિશમિશમાં પુષ્કળ માત્રામાં આયરન હોય છે. જેના સેવનથી શરીરમાં ઈન્સ્ટન્ટ આયરનની પૂર્તિ થાય છે. જેના માટે રાત્રે ઊંઘતા પહેલા એક ગ્લાસ પાણીમાં એક મુઠ્ઠી કિશમિશ પલાળીને મુકી દો. બીજા દિવસે કિશમિશનુ સેવન કરો. જેના સેવનથી શરીરમાં હિમોગ્લોબિન સ્તર વધે છે.