પાછળની બાજુ ચાલવું એક સારૂ કાર્ડિયો વર્કઆઉટ છે જે ન ફક્ત શરીરને ફિટ રાખે છે પરંતુ નિયમિત અભ્યાસ કરવાથી તમારા માનસિક સ્વાસ્થ્યમાં પણ સુધાર આવે છે.
ઉંધા ચાલવાના છે ઘણા ફાયદા
શરીરને મળે છે આ લાભ
માનસિક સ્વાસ્થ્યમાં પણ થાય છે સુધારો
નિયમિત રીતે વ્યાયામ અને યોગ અભ્યાસ કરવાથી નિરોગી રહેવાય છે. યોગ અને એક્સરસાઈઝ ઉપરાંત રોજ ચાલવું અથવા ટહેલવું ખૂબ જ ફાયદાકારક છે. એ તો તમે પણ જાણતા હશો કે નિયમિત રીતે વોકિંગ કરવાથી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ હેલ્થ, કિડની હેલ્થ અને કેન્સર જેવી મોટી બીમારીઓ ઘણા હદ સુધી નિયંત્રણમાં રહે છે.
પરંતુ શું તમે જાણો છો કે ઉંધા ચાલવાથી શરીરને ઘણા લાભ મળી શકે છે. જી હાં તમે સાચુ સાંભળ્યું કે ઉંધુ ચાલનું એક યોગ્ય કાર્ડિયો વર્કઆઉટ છે. જે ન ફક્ત શરીરને ફિટ રાખે છે પરંતુ નિયમિત અભ્યાસથી તમારા માનસિક સ્વાસ્થ્યમાં પણ સુધાર કરે છે. આવો જાણીએ ઉંધા ચાલવાના ફાયદા વિશે.
કમરમાં દુખાવાની સમસ્યા દૂર થાય છે
ઉંધા ચાલવા અને દોડવાથી કમરમાં દુખાવાની સમસ્યા દૂર થાય છે. જો તમે દરરોજ 15 મિનિટ માટે રિવર્સ વોકિંગ એક્સરસાઈઝ કરો છો તો તમને તરત ફરક જોવા મળશે. આ રીતે વજન નિયંત્રણમાં રહે છે.
બોડી બેલેન્સ અને કાર્ડિનેશન માટે સારૂ
ઉંધુ ચાલવાથી શરીરનું સંતુલન યોગ્ય રહે છે. એવું માનવામાં આવે છે કે જો તમે સીધા ચાલવાની જગ્યા પર દરરોજ થોડો સમય ઉંધા ચાલો તો તેનાથી દિમાગ પર વધારે જોર પડે છે. આમ કરવાથી મગજ વધારે કામ કરે છે. જે શરીરના તાલમેલ અને સંતુલનને વધારવા માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. આમ કરવાથી તમારી એકાગ્રતા પણ વધે છે અને મન સ્વસ્થ્ય રહે છે.
માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
રોજ ઉંધા ચાલવાથી તમારૂ મગજ સ્વસ્થ્ય રહે છે અને મગજને વધારે કામ કરવું પડે છે. ઘણી શોધ અને અભ્યાસમાં આ વાતની પુષ્ટિ થઈ ચુકી છે કે એન્ઝાઈટી અને ડિપ્રેશન જેવી સમસ્યામાં રોજ ઉંધા ચાલવાની પ્રેક્ટિસ કરવી ફાયદાકારક છે.
ઘુટણના દુખાવાથી મળે છે રાહત
ઘણા લોકો ઘુટણના દુખાવાથી પરેશાન હોય છે. તેમના માટે આ એક સારી કસરત છે. આમ કરવાથી ઘુટણના દુખાવાને આરામ મળે છે. ઘુટણના તણાવને દૂર કરવા અને દુખાવા કે સોજાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે રોજ થોડા સમય માટે ઉંઘા ચાલવું ફાયદાકારક હોય છે.
પગ મજબૂત થાય છે
બીજી દિશામાં ઉંધા પગે ચાલવાથી મસલ્સને ફાયદો મળે છે અને પગ મજબૂત થાય છે. પાછળની બાજુના મસલ્સનો વ્યાયામ ઉંધા ચાલવાથી જ થાય છે.