તમે બાળપણમાં ખૂબ આમલી ખાધી હશે, પરંતુ આજે અમે તમને આમલીના એવા ફાયદા જણાવીશું, જે જાણીને તમે ચોંકી જશો.
આમલીમાં અનેક ગુણો રહેલાં છે
ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરે છે આમલી
શરીર માટે ખૂબ જ લાભકારક છે આમલી
ખાટામીઠા સ્વાદવાળી આમલીનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં ચટણી, સોસ અને મીઠાઈ બનાવવા માટે થાય છે. આમલી ખોરાકનો સ્વાદ વધારે છે. તે સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. આમલી સ્વાસ્થ્ય માટે સારી છે, તે રોગપ્રતિકારક શક્તિ વધારવાથી લઈને પાચનને દુરસ્ત રાખે છે અને હ્રદયરોગને દૂર રાખે છે. વિટામિન સી, ઈ અને બી ઉપરાંત આમલીમાં પુષ્કળ કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ અને ફાઇબર પણ જોવા મળે છે. ઉપરાંત તેમાં સારાં પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ પણ છે.
આમલીમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. આમલી ખાવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે, કારણ કે તેમાં ફ્લેવોનોઈડ્સ અને પોલીફેનોલ્સ હોય છે. ઉપરાંત આમલીમાં હાઇડ્રોક્સાઇટ્રિક એસિડ ભરપૂર હોય છે, જે એમીલેઝને અટકાવીને ભૂખને ઘટાડે છે.
પ્રાચીન કાળથી આમલીનો ઉપયોગ સારાં પાચક તરીકે થાય છે, કારણ કે તેમાં ટાર્ટરિક એસિડ, મેલિક એસિડ અને પોટેશિયમ હોય છે. તેનો ઉપયોગ પેટની માંસપેશીઓને આરામ કરવાની ક્ષમતાને કારણે લૂઝ મોશનની સારવાર તરીકે પણ થાય છે. તેનો ઉપયોગ કબજિયાત દુર કરવા માટે પણ થાય છે. આમલીનું સેવન કરવાથી પેટના રોગો દૂર રહે છે.
આમલીમાં વિટામિન સી હોય છે, જે શરીરની ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. આમલી ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે કામ કરે છે. તે વાયરલ ઈન્ફેક્સનથી પણ શરીરને દૂર રાખે છે. તેને ખાવાથી ચહેરા પર ગ્લો આવે છે અને વાળમાં ચમક આવે છે.
હૃદય માટે આમલી ખૂબ જ સારી છે. તેમાં રહેલાંફ્લાવોનોઈડ્સ એલડીએલ અથવા ખરાબ કોલેસ્ટરોલને ઘટાડે છે અને એચડીએલ અથવા સારાં કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે. લોહીમાં ટ્રાઇગ્લાઇસેરાઇડ્સ (ચરબીનો એક પ્રકાર)ની રચનાને રોકે છે. તેમાં પોટેશિયમ પુષ્કળ હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
આમલીના બીજના અર્કની પ્રકૃતિ એન્ટીઈન્ફ્લામેટરી હોય છે અને તે બ્લડ શુગરને સ્થિર કરવા અને ડાયાબિટીસવાળા લોકોમાં સ્વાદુપિંડના ટિશ્યૂને નુકસાનથી બચાવવા માટે જાણીતા છે. આમલીમાં જોવા મળતું એન્ઝાઇમ આલ્ફા-એમિલેઝ, બ્લડ શુગરનું પ્રમાણ ઓછું કરવામાં મદદ કરે છે.