ભોજનમાં વઘાર માટે અનેક ચીજોનો ઉપયોગ કરાય છે. તેના દરેકના અલગ અલગ ગુણ હોવાના કારણે તે સ્વાદમાં વધારો કરે છે અને સ્વાસ્થ્યને પણ મોટા લાભ આપે છે.
ભોજનમાં વધાર છે જરૂરી
વઘાર કરવાથી હેલ્થને મળે છે 5 ફાયદા
જાણો કયા વધારથી શું થાય છે ફાયદો
દાળ, શાક, કે પછી રાયતું અને ક્યારેક અલગ ભાત. દરેક ચીજોમાં વઘારનો ઉપયોગ કરવામાં આવે છે. અનેક લોકોને વઘાર વિના ખાવાનું અધૂરું લાગે છે પણ શું તમે ક્યારેય જાણ્યું છેકે વઘાર ફક્ત સ્વાદ માટે કરાતો નથી. તેનાથી અનેક સ્વાસ્થ્ય લાભ પણ થતા હોય છે. જેને આપણે ભાગ્યે જ જાણીએ છીએ. વઘારમાં ઉપયોગમાં લેવાતી રાઈ, જીરું, હિંગ, મેથીના પોતાના અનેક ફાયદા છે. આજે જાણો આ તમામ ફાયદા વિશે.
હીંગનો વઘાર
તુવેરની દાળમાં કરાતો વઘાર હીંગથી કરાય છે તો તે ફાયદો આપે છે. આ સાથે લસણ અને આદુનો ઉપયોગ પણ વઘારમાં કરાય છે તો આ દાળ પેટને નુકસાન કરતી નથી. તુવેરની દાળમાં ઘીનો વઘાર કરવાથી તેની તાસીર ઠંડી થઈ જાય છે. અડદની દાળમાં સરસોના તેલનો વઘાર આદુ અને લસણની સાથે કરવાથી દાળ પાતળી બને છે. તુવેરની દાળ ખાવાથી પેટ ફૂલે છે અને હીંગનો વઘાર કરવાથી આ તકલીફ રહેતી નથી.
ખાવાનાનું ન્યૂટ્રિશન વધારે છે
દાળમાં વઘાર કરવા માટે લસણનો ઉપયોગ કરો છો તો તેનાથી ઈમ્યુનિટી વધે છે. લસણમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. જે ઈન્ફેક્શન, શરદી, ખાંસી અને માથાનો દુઃખાવો જેવી પરેશાનીને દૂર કરે છે. જ્યારે હીંગ, જીરું કે લસણનો ઉપયોગ કરાય છે તો તે ખાવાનાની ન્યૂટ્રિશન વેલ્યૂને વધારે છે. અનેક સોલ્યુબલ વિટામિન્સ માટે એબ્ઝોર્બ કરવા માટે ફેટ જરૂરી રહે છે. જ્યારે ઘી કે તેલથી વઘાર કરીએ છીએ તો ફૂડની ન્યૂટ્રીશન વેલ્યૂ વધે છે.
ડાયજેસ્ટિવ સિસ્ટમ માટે
વઘારમાં રાઈ, જીરું, હીંગકે લીમડાના પાનનો ઉપયોગ કરી શકાય છે. આ સૌના અલગ ફાયદા છે. જીરાનો વઘાર એસિડિટી કે ડાયરિયાથી બચાવે છે. આ ડાયજેસ્ટિવ સિસ્ટમને પણ સારી રાખે છે. જીરાના વઘારથી પાચનક્રિયા સારી રહે છે. તેનાથી પેટ ફૂલવું, ડાયરિયા, એસિડીટી અને અપચાની તકલીફો રહેતી નથી.
કોલેસ્ટ્રોલ લેવલને કરે છે કંટ્રોલમાં
વઘારમાં લીમડાના પાનનો ઉપયોગ કરવાથી કોલેસ્ટ્રોલનું લેવલ કંટ્રોલમાં રહે છે. તેનાથી પાચન સારું રહે છે અને ડાયાબિટીસનો ખતરો પણ ઘટે છે. લીમડાના પાનમાં ફાઈબર, કાર્બ્સ, વિટામીન ઈ, બી, એ, સી, આયર્ન, ફોસફરસ અને કેલ્શિયમનું પૂરતું પ્રમાણ હોય છે.
માંસપેશીઓના દર્દને કરે છે દૂર
રાઈના દાણાથી દાળ કે શાકનો વઘાર કરવાથી માંસપેશીઓનું દર્દ દૂર થાય છે અને કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવામાં મદદ મળે છે. દાળમાં હીંગનો વઘાર ટેસ્ટ વધારે છે. આ સિવાય જો તમે હળદર, કાળા મરી, હીંગ, લસણ ઉમેરો છો તો વધારે તાપમાને તેને લાંબા સમય સુધી ઉકાળવાથી તેના પોષક તત્વો ખતમ થઈ જાય છે. પણ વઘાર સાથે આવું થતું નથી.