ગોળમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ પણ રહેલાં છે. આયુર્વેદમાં ગોળને અમૃત માનવામાં આવે છે. ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ.
આયુર્વેદમાં ગોળને અમૃત માનવામાં આવે છે
ગોળ સ્વાસ્થ્યની સાથે સ્કિન માટે પણ લાભકારી છે
દરેક સિઝનમાં ગોળનું સેવન કરવું જોઈએ
ગોળ પચવામાં હળવો અને સ્વાદમાં મીઠો હોવાની સાથે શરીરના દોષોનો નાશ કરનાર છે. જો રોજ ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરવામાં આવે તો સ્વાસ્થ્ય સંબંધી ઘણાં લાભ મેળવી શકાય છે. ગોળમાં ઝિંક, સેલેનિયમ, પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, ફાયબર, આયર્ન જેવા ન્યૂટ્રિઅન્ટ્સ પણ મળી રહે છે. ગોળ ખાવાથી લોહી સાફ રહે છે.
રોજ ચામાં ખાંડની જગ્યાએ ઓર્ગેનિક ગોળ નાખીને પીવાથી વજન વધતું અટકે છે. તેને ખાવાથી શરીરમાં લોહીની કમીની પ્રોબ્લેમ દૂર થાય છે અને બ્લડપ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.
ગોળનું સેવન કરવાથી બોડીમાં રહેલાં ટોક્સિન્સ પણ દૂર થાય છે. ગોળ ખાવાથી સ્કિન અને લિવરની સારી રીતે ક્લિનીંગ થઈ જાય છે.
રોજ ભોજન કર્યા બાદ ગોળનો નાનો ટુકડો ચૂસવાથી ગેસ, એસિડિટી, મોંના ચાંદા, હૃદયની દુર્બળતા, મોંમાં ખાટું પાણી આવવું વગેરે જેવી તકલીફો દૂર થાય છે.