ભારતમાં કોરોનાથી સાજા થયેલા લોકોમાં ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર જોવા મળી રહ્યો છે. જેમાં બ્રેન ફોગ, જીબી સિન્ડ્રોમ, માથાનો દુઃખાવો, લકવા, વીનસ સ્ટ્રોક્સ, બેહોશ થવું, ઈંસેફેલાઈટિસ, ડીમાઈલિનેશન અને નસનું છોલાઈ જવું કે મગજની નસોનું નબળું થવું સામેલ છે.
કોરોના હવે કરી રહ્યો છે માણસોના મગજ પર અસર
જો આ લક્ષણ દેખાય તો ભૂલથી પણ ન કરશો ઈગ્નોર
કોરોનાથી સાજા થયેલા લોકોમાં ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર જોવા મળી રહ્યો છે
મહામારી જાહેર કરી ચૂકેલો કોરોના વાયરસ ફક્ત લોકોને સંક્રમિત કરી રહ્યો છે અને સાથે તેનાથી સાજા થયેલાના શરીરના લગભગ દરેક અંગ પર અસર કરી રહ્યો છે. ફેફસા બાદ કોરોના શરીરના અન્ય અંગો પર અસર કરે છે. ભારતમાં અનેક લોકોમાં મગજ પર કોરોનાની અસર જોવા મળી રહી છે જેના કારણે અનેક બીમારીનો ડર રહે છે.
કોરોનાથી સાજા થયેલામાં જોવા મળી રહ્યો છે ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર
કોરોનાથી સાજા થયેલા લોકોમાં ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર જોવા મળી રહ્યો છે. આ સમસ્યાની ખાસ વાત એ છે કે ડિસઓર્ડરના સામાન્ય લક્ષણોને ઓળખવું મુશ્કેલ બની રહ્યું છે. જો કે માથું દુઃખવું એ આમાંથી એક છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે સામાન્ય રીતે માથાનો દુઃખાવો એક ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર છે.
AIIMS તરફથી આવી રહી છે આ માહિતિ
AIIMSના ન્યૂરોલોજી ડિપાર્ટમેન્ટના પ્રોફેસરે કહ્યું કે કોરોના બાદ વિદેશમાં ન્યૂરો સંબંધી સમસ્યાઓ સૌથી પહેલા જોવા મળી રહી છે. ભારતમાં પણ કોરોનાથી સાજે થયેલા લોકોમાં આ ન્યૂરોલોજિકલ
ભારતમાં કોરોનાથી સાજા થયેલા દર્દીમાં જોવા મળે છે માથાના દુઃખાવવાની ફરિયાદ, હોઈ શકે છે ડિસઓર્ડર
ડોક્ટરનું કહેવું છે કે કોરોના બાદ તમે સાજા થયા છો અને સતત માથું દુઃખે છે તો તેને ઈગ્નોર ન કરો. તેને સામાન્ય દુઃખાવો ન સમજો. સતત રહેતો માથાનો દુઃખાવો ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર હોઈ શકે છે. આ કોરોનાના બ્રેન કે માથાની નસો પર પણ પ્રભાવિત રહે છે. તેના કારણે માથાનો દુઃખાવો રહે છે.
કોરોના સમયે અને કોરોના બાદ વધે છે લકવાના દર્દીઓ
દિલ્હી એમ્સમાં કોરોના સમયે દર્દીને લકવા થયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ સમયે દર્દીને લોગીની નળી કે બ્લોક થઈ હોય કે તેમાં લોહી જામવાની ફરિયાદ રહે છે. જેને વીનસ સ્ટ્રોક્સ પણ કહેવાય છે. આ સમયે નસમાં લોહી જામે છે અને લકવા કહેવાય છે.
કોરોના બાદ આ ન્યૂરોલોજિકલ ડિસઓર્ડરના વધી રહ્યા છે દર્દી