અમુક શાકભાજીઓને જો તમે અધકચરી કે કાચી ખાઓ છો તો તેના કારણે સ્વાસ્થ્યને ભારે નુકસાન પહોંચી શકે છે.
શાકભાજી કાચુ ખાવાના છે નુકાસાન
જાણો શરીર પર શું કરે છે અસર
જાણો શું કહે છે એક્સપર્ટ્સ
ધણી વખત એવું બને છે કે શાક રાંધતી વખતે અધકચરૂ રહી જાય છે. એક્સપર્ટ્સ અનુસાર, જો તમે અમુક ખાત શાકભાજીઓને કાચું અથવા અધકચરૂ ખાવ છો તો તેનાથી સ્વાસ્થ્યને ભારે નુકસાન પહોંચે છે. તે તમારા માટે ઝેર સમાન હોય છે.
બટાકા
બટાકામાં જ્યારે સ્પ્રાઉટ અથવા તેમાં ગ્રીન સ્પોટ આવવા લાગે તો આવા બટાકાને ન ખાવા જોઈએ. તેમાં Solanineનું પ્રોડક્શન થવા લાગે છે જે સ્વાસ્થ્ય માટે નુકસાન કારક છે. તેનાથી માથામાં દુઃખાવો, ઉબકા, ડાયરિયાની સમસ્યા થઈ જાય છે. ઘણી વખત આ જીવલેણ પણ થઈ શકે છે.
રિંગણ
રિંગણને પણ કાચુ ન ખાવું જોઈએ. તેનું કારણ એ છે કે અધકચરૂ ખાવાથી તમને રિંગણનો સંપૂર્ણ ફાયદો ન મળે. ત્યાંજ તેમાં બટાકાની જેમ Solanine હોય છે. જે ટોક્સિક અસર ધરાવે છે. જોરે અમુક લોકો પર તેનું ટોક્સિત અસર નથી કરતું. ધણા લોકો તેને કાચુ અથવા અધકચરૂ ખાય છે. પરંતુ જો તમને Solanineથી એનર્જી થાય છે તો તમને Gastrointestinal Distressની સમસ્યા હોઈ શકે છે. તેને ખાતી વખતે સાવધાની રાખો.
દુધી
દુધીને હંમેશા રાંધીને જ ખાવી જોઈએ તેને રાંધીયા વગર ખાવાથી પેટ સાથે સંબંધિ સમસ્યા થઈ શકે છે. કાચી રહેવા પર તે ટોક્સિક થઈ જાય છે. એક્સપર્ટ્સની સલાહ છે કે શાકભાજીને કાચી ખાવાથી પેટ અને ડાયજેસ્ટિવ સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે. તેનાથી અલ્સર અને અમુક કેસોમાં મલ્ટી ઓર્ગેન ડેમેજનો પણ ખતરો રહે છે. તેમાં પણ જો તેનો કડવો ટેસ્ટ આવી રહ્યો છે તો તે ઝેર સમાન જ હોઈ શકે છે. કાચી દુધીનો જૂસ અને કાચા ફોર્મમાં ખાવાથી સ્વાસ્થ્યને ખૂબ નુકસાન થાય છે.