અનેક સાધુઓ કોરોના પોઝિટિવ મળ્યા છે. તેમ છતાં ઉત્તરાખંડ પોલીસ નિયમોનું પાલન કરાવવામાં નિષ્ફળ જણાઈ છે.
અનેક સાધુઓ કોરોના પોઝિટિવ મળ્યા
ન માસ્ક, ન સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન
આઈજીએ કહ્યુ આજે નિયમોનું પાલન કરાવવુ મુશ્કેલ
અનેક સાધુઓ કોરોના પોઝિટિવ મળ્યા
હરિદ્વારા મહાકુંભમાં આજથી બીજું શાહી સ્નાન થઈ રહ્યું છે. આ શાહી સ્નાનમાં તમામ અખાડાના સાધુ સંતોએ આસ્થાની ડુબકી લગાવી. શાહી સ્નાન દરમિયાન કોરોનાના નિયમોની એંસીતેંસી થઈ ગઈ છે. અનેક સાધુઓ કોરોના પોઝિટિવ મળ્યા છે. તેમ છતાં ઉત્તરાખંડ પોલીસ નિયમોનું પાલન કરાવવામાં નિષ્ફળ જણાઈ છે.
એક મીડિયા ગ્રુપ સાથે વાત કરતા ડીએમ મેલા દીપક રાવતે કહ્યું તે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. 50 હજાર લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. અનેક સાધુઓ પોઝિટિવ આવ્યા છે. આગળ પણ લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ પડકારજનક છે પરંતુ અમે સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે લોકો પ્રોટોકોલનું પાલન કરે.
ન માસ્ક, ન સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન
ભીડના કારણે અનેક જગ્યાએ કોરોનાના પ્રોટોકોલના નિયમો તુટ્યા છે. ન સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન થઈ રહ્યું છે ન કોઈએ માસ્ક લગાવ્યું છે. કુંભ મેળાના આઈજી સંજય ગુંજ્યાલે કહ્યુ છે કે શાહી સ્નાનમાં સૌથી પહેલા અખાડાને પરવાનગી આપવામાં આવી. એ બાદ 7 વાગે સામાન્ય લોકોને શાહી સ્નાનની પરવાનગી મળી હતી.
આઈજીએ કહ્યુ આજે નિયમોનું પાલન કરાવવુ મુશ્કેલ
કુંભના મેળામાં આઈજી સંજય ગુંજ્યાલે કહ્યું કે અમે લોકોને સતત કોરોનાના નિયમોનું પાલન કરવા અપીલ કરી રહ્યા છીએ. પરંતુ ભીડના કારણે આજે દંડ ફટકારવો વ્યાવહારીક રુપે શક્ય નથી. ઘાટો પર સોશિયલ ડિસ્ટેન્શિંગનું પાલન સુનિશ્ચિત કરવું બહું મુશ્કેલ છે. જો સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરાવીએ તો ભાગદોડની સ્થિતિ બની શકે છે.
શાહી સ્નાન પહેલા 1333 પોઝિટિવ કેસ
શાહી સ્નાની પહેલા એક દિવસમાં ઉત્તરાખંડમાં કોરોનાનો આંકડો ડરાવનો રહ્યો. ગત 24 કલાકમાં 1333 નવા કેસ આવ્યા છે. જ્યારે 8ના મોત થયા છે. ત્યારે દહેરાદુનમાં 582, હરિદ્વારમાં 386 , નૈનીતાલમાં 122 કોરોનાના નવા મામલા સામે આવ્યા છે. હર કી પૌડી પર રવિવારે સ્થળ પરિક્ષણ દરમિયાન 9 લોકો કોરોનાગ્રસ્ત જોવા મળ્યા છે.