બાબા રામદેવે કહ્યું કે કોઈ જ્યોતિષીએ એવું પણ ન હતું કહ્યું કે કોરોના આવવાનો છે. કોઈએ ન હતું જણાવ્યું કે તેના બાદ બ્લેક ફંગસ પણ આવશે
ડૉક્ટર્સ બાદ હવે જ્યોતિષો પર બાબા રામદેવે સાધ્યું નિશાન
કોઈ જ્યોતિષે ન હતુ જણાવ્યું કે કોરોના આવવાનો છે
કોરોના બાદ બ્લેક ફંગસ આવાનો છે
એલોપેથી બાદ બાબા રામદેવે જ્યોતિષો પર નિશાન સાધ્યું છે. યોગ ગુરુ સ્વામી રામદેવે જણાવ્યું કે બધા જ મુહૂર્ત ભગવાને બનાવ્યા છે. જ્યોતિષી કાળ, ચોઘડીયુ, મુહૂર્તના નામ પર ફસાવતા રહે છે. આ પણ એક લાખ કરોડની ઈન્ડસ્ટ્રી છે. બેઠા બેઠા જ કિસ્મત બનાવે છે. જ્યારે જ્યારે મોદીજીએ પાંચ સો અને એક હજારની નોટ બંધ કરાવી તો કોઈને ખબર ન હતી. કોઈ જોતિષે ન હતું કહ્યું કે કોરોના આવવાનો છે. કોઈએ ન જણાવ્યું કે ત્યાર બાદ બ્લેક ફંગસ પણ આવવાની છે.
બાબા રામદેવે સાધ્યા નિશાન
તે યોગ શિવિરમાં સાધકોને કહી રહ્યા હતા. તેમણે કહ્યું કે કોઈએ એવું ન જણાવ્યું કે કોરોનાનું સમાધાન બાબા રામદેવ કોરોનિલ દ્વારા આપવાના છે. હું તો શુદ્ધ હિન્દી અને સંસ્કૃત બોલું છું. વચ્ચે વચ્ચે અંગ્રેજી પણ બોલું છું. કારણ એવું કહેવામાં આવતું હતું કે હિન્દી અને સંસ્કૃત બોલનાર મોટો માણસ ન બની શકે. હવે હિન્દી અને સંસ્કૃત બોલનારે એવો કમાલ કરી બતાવ્યો કે બધા કહે છે કે હિન્દી ભણવું જોઈએ. સંસ્કૃત વાંચવું જોઈએ. તેમણે જણાવ્યું કે આગળ ગુરુકુળમાં ભણનાર જ દેશ ચલાવશે. 20-25 વર્ષ બાદ જણાવીશ પ્રયોગ કરીને.
પતંજલીએ માછલી પર કર્યું કોરોનિલનું પરિક્ષણ
પતંજલીએ કોરોનિલનું પરીક્ષણ ઉત્તરાખંડની નદીઓમાં જોવા મળતી જેબ્રા ફિશ પર કર્યું છે. આઈએમએ ઉત્તરાખંડના સચિવ ડો. અજય ખન્નાએ એવો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે પતંજલિએ પાઈથોમેડિસિન જર્નલમાં છપાયેલા રિસર્ચ પેપરમાં આ વાતની જાણકારી આપી છે.