આજે ઘરનો ડાયરો છે,ઘરના લોકો છે તો એક વાત કરવી છે: હાર્દિક
પાટીદાર સમાજે માત્ર એક મેદાનમાં સંગઠિત નથી થવાનું: હાર્દિક
જસદણના પાટીદાર સમાજના કાર્યક્રમમાં હાર્દિક પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. હાર્દિક પટેલે કહ્યું કે આજે ઘરનો ડાયરો છે,ઘરના લોકો છે તો એક વાત કરવી છે હાર્દિકે કહ્યું હતું કે મનમાં ફાકો હોય કે પાટીદાર સમાજ એક છે તો તેમા તથ્ય નથી ભેગા થવુ,ગ્રાઉન્ડમાં આવીને સાથે બેસવુ એ સંગઠિત થયા તેવુ નથી, પાટીદાર સમાજે માત્ર એક મેદાનમાં સંગઠિત થવાનું નથી સામાજિક અને રાજકીય રીતે સંગઠિત થવાનું છે તેમજ જણાવતા હાર્દિકે હુકાર કર્યો હતો..
હાર્દિક પટેલે પાટીદાર આંદોલન વિશે વાત કરતા કહ્યું કે આંદોલન સમયે 1.25 કરોડ પાટીદારો અને 50 MLA હતા જેમાં આંદોલનના 4 વર્ષ બાદ ન્યાય મળ્યો પરતું તેમા 14 પાટીદારો શહીદ થયા, હાર્કિદે ધારાસભ્યો અને સાંસદોને લઈને કહ્યું કે ગમે તેટલા MLA-MP હોય પણ જરૂરિયાત સમયે સાથે ન ઉભો રહે તો શું ફાયદો, જે સમાજનું હિત,ભવિષ્ય,પ્રગતિ નથી ઇચ્છતા તેને ફેંકી દેવા પડશે વધુમાં હાર્દિકે ઉમેર્યું કે ગમે તે પાર્ટીમાં હોઈએ પણ સમાજહિતની વાત આવે ત્યારે એક થવુ પડશે. હાર્કિદ પટેલના આ હુંકાર બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
જસદણમાં ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે પણ કર્યાં વખાણ
મહત્વનું છે કે ગઈ કાલે જસદણમાં યોજાયેલા પાટીદાર સંમેલનમાં ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે હાર્દિક પટેલ તથા અલ્પેશ કથીરિયાનાં આડકતરી રીતે વખાણ કર્યાં હતાં. નરેશ પટેલે નામ લીધા વિના મંચ પર હાજર રહેલા હાર્દિક અને અલ્પેશ કથીરીયા તરફ ઈશારો કરીને કહ્યું હતું કે, છેલ્લા 5 વર્ષમાં યુવાનોએ પોતાની તાકાત શું છે તે બતાવી દીધી છે અને યુવાનો શું કરી શકે તેનો પરિચય આપી દીધો છે.નરેશ પટેલે કહ્યું કે, વર્ષોથી પાટીદાર સમાજમાં સંગઠનની ભૂખ હતી યુવાનોની મહેનતથી અને મુખ્ય પાટીદાર સંસ્થાઓના પ્રયત્નોથી આજે પાટીદારો એક થયા છે. રાજકોટ જસદણ પાટીદાર શૈક્ષણિક ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં ખોડલધામ મંદિર ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે હુંકાર કર્યો કે, પાટીદાર યુવાનોએ છેલ્લા 3-4 વર્ષમાં ઘણું કરી બતાવ્યું છે પણ ક્લાર્કથી કલેકટર અને રાજકારણમાં સરપંચથી સાંસદ પણ પાટીદારો જ હોવા જોઈએ.
સામાજિક અને રાજકીય રીતે સંગઠિત થવાનું છે: હાર્દિક
નરેશ પટેલે પોતાના સંબોધનમાં કહ્યું કે, “ છેલ્લા પાંચ વર્ષમાં યુવાનોએ પોતાની શક્તિ શું છે, તે બતાવી દીધું છે. સરકારી નોકરીઓમાં પણ આપણા પાટીદાર સમાજના દીકરા દીકરીઓને સ્થાન મળ્યું છે. પરંતુ જો તેમને યોગ્ય સ્થાન ન મળે તો તે સમાજનું કામ ન નહીં કરી શકે. તેમણે કહ્યું કે, એવી વ્યક્તિને ચૂંટજો જે ખુરશી પર બેસ્યા બાદ સમાજને ભૂલી ન જાય તેની નજર સમાજ પર રહે નરેશ પટેલે વધુમાં કહ્યું હતું કે ‘ હમણા સ્વામીજી કહીને ગયા તેમ કમિશનર અને કલેક્ટર પાટીદાર સમાજના હોવા જોઇએ તો તેનો પાયો નાંખનાર પણ જસદણના જ પાટીદાર છે. ઉલ્લેખનીય છે કે,ખોડલ ધામના ટ્રસ્ટી નરેશ પટેલે છ -સાત મહિના પહેલા ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીને લઈને ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર હોવા જોઈએ તેવી તીવ્ર લાગણી અને સુચિતાર્થ માંગણી કરી હતી. ધાર્મિક સ્થળેથી રાજનીતિક નિવેદનને લઈને ત્યારે ભારે-તર્ક વિતર્ક થયા હતા.ત્યાર બાદ રાજ્યમાં તખ્ત પલટાયો અને ગુજરાતને ભુપેન્દ્ર પટેલના રૂપમાં પાટીદાર મુખ્યમંત્રી મળ્યા છે.