અમદાવાદનુ નામ કર્ણાવતી કરવાની ચર્ચાઓ વચ્ચે દેશમાં અલગ-અલગ શહેરોમાં નામ બદલાવાની પ્રક્રિયા કારણે વિરોધીઓ સરકારને પક્કડમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજ કડીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યુ કે વિધાનસભામાં રાજ્યનું નામ બદલવાનું પ્રસ્તાવ સર્વસંમતિથી પાસ કરી દીધો છે પણ કેન્દ્ર સરકારે અડચણરૂપ બની રહી છે. જોકે અહીંયા હાર્દિક પટેલ કંઇક અલગ જ વાત કરે છે. ત્યારે હાર્દિક પટેલે પણ નામ બદલવાની પ્રક્રિયાઓ સામે પોતાનો વિરોધ નોંધાવીને પાટીદાર અનામત આંદોલના કન્વીયર હાર્દિક પટેલે ટોણો માર્યો છે.
Agar iss desh mein sirf shehron ke naam badlne se desh ko sone ki chidiya bana sakte toh main maanta hun ki 125 crore Hindustaniyon ka naam Ram rakh dena chahiye. Iss desh mein berozgari kisanon ka prashn bada hai aur yeh naam aur murtiyon ke chakkar mein hain:Hardik Patel(14.11) pic.twitter.com/UFUjcKSodN
હાર્દિકે પટેલે કહ્યું કે જો આ દેશમાં માત્ર શહેરોના નામ બદલવાથી જ દેશ સોનાની ચકલી બની જતો હોય તો હું માનુ છુ કે 125 કરોડ ભારતીયોનું નામ રાખી દેવું જોઇએ. આ દેશમાં બેરોજગારી અને ખેડૂતોનો પ્રશ્નો મોટા છે અને આ (સરકાર) નામ અને મૂર્તિઓના ચક્કરમાં છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અલ્હાબાદ અને ફેઝાબાદના નામ બદલવાના મામલા પર આપત્તિ દેખાડી છે. તેમણે કહ્યું હતું કે ભાજપની સરકાર પાસે આ સિવાય બીજો કોઈ મુદ્દો નથી. શહેરોના નામ બદલવામાં લોકોની ભાવનાઓનો વિચાર કરવામાં નથી આવ્યો. ખાસ રણનીતિ અને એજન્ડા હેઠળ શહેરોમાં નામ બદલવામાં આવી રહ્યા છે પણ પશ્ચિમ બંગાળનું નામ ના કરવા પર તેમણે સરકારને ઘેરી હતી.