ગુજરાત કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે આજે સોમનાથ મંદિરમાં દર્શન કર્યા હતા. જો કે દર્શન સમયે કોંગ્રેસના કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સિંગનું ભાન ભુલ્યાં હતા. ત્યારબાદ વેરાવળ ખાતે પણ હાર્દિક પટેલની આગેવાનીમાં મળેલી સભામાં સામાજિક અંતરિના નિયમના ધજાગરા ઉડેલા જોવા મળ્યાં હતા.ત્યારે સવાલ એ થાય છે કે શું આ નેતાઓને કાયદો લાગુ પડતો નથી ? સરકારના નિયમ માત્ર સામાન્ય જનતા માટે જ છે?
વેરાવળમાં કોરોના મહામારી દરમિયાન કોંગ્રેસના નેતાઓએ સભા યોજી હતી. કોંગ્રસના નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં આજે વિમલ ચુડાસમાની ઓફિસમાં સભાનું આયોજન કરાયું હતું.
કોંગ્રેસની આ સભામાં સામાજિક અંતરના નિયમના ધજાગરા ઉડ્યાં હતા. આ નિયમમાં ધારાસભ્ય મોહન વાળા, બાબુ વાજા સહિતના નેતાઓ જોડાયા હતા. આ સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.
આ સભામાં માસ્ક વગર અનેક કોંગ્રેસ કાર્યકરો જોવા મળ્યા હતા. આ વીડિયો સામે આવતા અનેક સવાલ થઈ રહ્યા છે. શું સરકારના નિયમો આ નેતાઓને લાગૂ પડતા નથી?. નેતાઓ જ આ રીતે કાયદાનું ભંગ કરશે તો જનતા સામે કેવી રીતે કાર્યવાહી કરાશે.
સળગતા સવાલ
શું આ નેતાઓને કાયદો લાગૂ પડતો નથી?
સરકારના નિયમ માત્ર સામાન્ય જનતા માટે જ છે?
મહામારી દરમિયાન કેમ સભા યોજવામાં આવી?
સભા યોજનાર સામે કાર્યવાહી કેમ ન કરવામાં આવી?
હાર્દિક પટેલ સભા કરે તો કાર્યવાહી કેમ નહી?
રાજકીય વગ ધરાવતા લોકો માટે કોઈ કાયદો નથી?
સોમનાથ મંદિરમાં પ્રતિબંધિત વિસ્તારમાં હાર્દિક પટેલ સાથે કોંગ્રેસ કાર્યકરોએ લીધી સેલ્ફી
સોમનાથ મંદિરમાં હાર્દિક પટેલે દર્શન કર્યા છે. જોકે દર્શન સમયે સામાજિક અંતર જળવાયું ન હતું. કોંગ્રેસના કાર્યકરો સામાજિક અંતર ભૂલી ગયા હતા. ત્યારે મંદિર પરિસરમાં પ્રતિબંધિત વિસ્તારમાં હાર્દિક પટેલ સાથે સેલ્ફી લીધી હતી. કાફાલા સાથે આવેલા કાર્યકરે મોબાઈલ ફોનમાં વીડિયો પણ ઉતાર્યો હતો. સામાન્ય જનતાને પરિસરમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ છે.