આઈપીએલ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સફળ વાપસી કરવામાં સફળ થયા છે. હાર્દિક પંડ્યાએ પોતાની સફળતાનો શ્રેય ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને આપ્યો છે.
હાર્દિક પંડ્યા કેવીરીતે શ્રેષ્ઠ ક્રિકેટર બન્યાં?
હાર્દિક પંડ્યાએ કર્યો ચોંકાવનારો ખુલાસો
કારકિર્દીની શરૂઆતમાં આ ખેલાડીએ કરી હતી મદદ
હાર્દિક પંડ્યાએ સફળતાનો શ્રેય MS ધોનીને આપ્યો
પંડ્યાએ ખુલાસો કર્યો કે કેવીરીતે પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીએ કારકિર્દીની શરૂઆતમાં તેમને શ્રેષ્ઠ ખેલાડી બનાવવામાં મદદ કરી. પંડ્યાએ આઈપીએલ 2022 સિઝનમાં ગુજરાત ટાઈટન્સનુ નેતૃત્વ કર્યુ હતુ. જ્યાં ટીમે પોતાના પહેલા વર્ષમાં શાનદાર જીત પ્રાપ્ત કરી. પંડ્યાએ સિઝનમાં 487 રન બનાવ્યાં અને 8 વિકેટ પણ પ્રાપ્ત કરી. પંડ્યાના આ ફોર્મને જોઇને મહિનાના અંતમાં આયરલેન્ડની સામે બે મેચની ટી-20 શ્રેણી માટે તેમને ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો.
પંડ્યા ભવિષ્યમાં બની શકે છે કેપ્ટન
પંડ્યાએ બીસીસીઆઈ ડૉટ ટીવીમાં કહ્યું, જ્યારે મેં કારકિર્દીની શરૂઆત કરી હતી ત્યારે માહી ભાઈએ મને એક વાત શિખવાડી હતી. મેં તેમને પૂછ્યુ કે તમે દબાણથી કેવીરીતે દૂર થઇ જાઓ છો ત્યારે તેમણે મને સરળ સલાહ આપી હતી. પોતાના સ્કોર અંગે વિચારવાનુ બંધ કરો અને પોતાની ટીમ વિશે વિચારવાનુ શરૂ કરો. ઓલરાઉન્ડર ખેલાડીએ પાંચ મેચની શ્રેણી દરમ્યાન ધમાકેદાર બેટિંગ કરી. તેમણે ચાર મેચમાં 153.94ની સ્ટ્રાઈક રેટથી 58.50ની સરેરાશથી 117 રન બનાવ્યાં. દિનેશ કાર્તિકની સાથે તેમની ભાગીદારી દ્વારા ટીમને રાજકોટમાં ચોથી ટી 20 મેચમાં જીતવાની મદદ મળી. પાંચ મેચની શ્રેણીમાં બંને ટીમો 2-2થી બરાબર છે. હવે સીરીઝની અંતિમ મેચ રવિવારે બેંગ્લોરમાં રમવામાં આવશે.