આજે Hanuman jayanti ના શુભ અવસરે કષ્ટભંજન દેવની આ રીતે પૂજા કરવાથી તમામ કષ્ટ થશે દૂર, જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ
આજનું પંચાંગ
16 04 2022 શનિવાર
માસ ચૈત્ર
પક્ષ શુક્લ
તિથિ પૂનમ
નક્ષત્ર ચિત્રા
યોગ હર્ષણ
કરણ બવ
રાશિ કન્યા (પ,ઠ,ણ)
----------------------
દેવ દર્શન઼
બોટાદ જીલ્લાના બરવાડા તાલુકામાં આવેલું ગામ છે સાળંગપુર
ગામના દરબાર વાઘા ખાચરને વ્યવહાર મંદ હતો ત્યારે ભગવાન સ્વામિનારાયણના પ્રથમ કોટિનાં સંત ગોપાળાનંદ સ્વામીએ આ હનુમાનજીની પ્રતિષ્ઠા કરી. તે વખતે હનુમાનજીનું શરીર ધ્રુજવા લાગ્યુ. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કાષ્ઠની લાકડી વડે મૂર્તિને સ્થિર કરી દૈવત મૂક્યુ. તે વખતથી આ મંદિરમાં ભુત-પ્રેત-પિશાચ-ડાકણ-વળગણનો નાશ કરવા ભક્તો ઉમટી પડે છે. હાલમાં જે નવા પ્રકારનું મંદિરનું બાંધકામ છે તે શાસ્ત્રીજી મહારાજે કરાવ્યું હતું.
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાન મંદિરમાં વર્ષે આશરે બે કરોડ જેટલાં દર્શનાર્થીઓ આવે છે.
દર શનિવારે સામાન્ય સંજોગોમાં પણ 25,000થી 30,000 માણસો હનુમાનજીદાદાના દર્શનાર્થે ઉમટી પડે છે.
આ મંદિર આસો વદ પાંચમ (પાટોત્સવ દિવસ) હનુમાન જન્મ તિથિ (જન્મ જયંતિ ન કહી શકાય કારણ કે હનુમાનજી અમર, હાજરાહજૂર છે), કાળી ચૌદશ તથા હિંદુ ધર્મના તમામ તહેવારો ધામધૂમથી ઊજવાય છે.
સવારે સાડા પાંચે મંગળા આરતીથી શરૂ થાય છે. ત્યારબાદ સાડા છથી સાત બાળભોગ, સાડા દસથી અગિયાર રાજભોગ થાય છે. સૂર્યાસ્ત સમયે સંધ્યા આરતી અને રાત્રે 9 વાગ્યે શયન થાય છે.
શુભાંક - આજનો શુભ અંક છે 7
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે વાદળી અને રીંગણી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.05 થી 12.49 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 9.45 થી 11.06 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા - આજે અશુભ દિશા છે પૂર્વ-ઈશાન ખૂણો
રાશિ ઘાત - વૃષભ, સિંહ, કન્યા, મીન
આજે હનુમાન જયંતી છે. આજના દિવસે ઘીમાં એક ચપટી સિંદૂર મિક્સ કરીને તેની પેસ્ટ હનુમાનજીને ચઢાવો. તેનાથી હનુમાનજી ખૂબ જ પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તને ભય અને અવરોધોથી દૂર કરે છે.
ઘીમાં એક ચપટી સિંદૂર ભેળવીને સ્વસ્તિક ચિન્હ બનાવો અને તેને હનુમાનજીના હૃદયમાં લગાવો અને તેને તમારી તિજોરી અથવા કબાટમાં રાખો. બિનજરૂરી ખર્ચમાં ઘટાડો થશે અને પૈસામાં વધારો થશે.
નોકરી મેળવવા માટે હનુમાનજીના ચરણોમાં સિંદૂર લાવો અને સફેદ કાગળમાં સ્વસ્તિક બનાવો. આ કાગળ હંમેશા તમારી સાથે રાખો, તમારી સમસ્યા દૂર થઈ જશે.
મેષ (અ.લ.ઈ.)
નોકરીયાત વર્ગને શાંતિ જણાશે
કામકાજમાં સામાન્ય ઉચાટ જણાશે
વિવાદિત કાર્યોથી દૂર રહેવું
તબિયત બાબતે કાળજી રાખવી
વૃષભ (બ.વ.ઉ.)
સંતાનોના પ્રશ્નોમાં સમાધાન મળશે
દામ્પત્ય જીવનમાં સામાન્ય અશાંતિ જણાશે
કામકાજમાં ઓછો સહયોગ મળશે
ધંધા-વેપારમાં સાચવીને કામ કરવું