રાજ્યસભા સાંસદ અને ગ્વાલિયરના મહારાજા જ્યોતિરાદિત્ય સિંધિયાના જય વિલાસ પેલેસમાં ચોરીનો મોમલો સામે આવ્યો છે.
જય વિલાસ પેલેસમાં ચોરીનો મોમલો સામે આવ્યો છે
અધિકારી અને પોલીસ ફોર્સની સાથે ડોગ સ્ક્વોર્ડ તથા ફોરેન્સિંક ટીમ સ્થળ પર
ફોરેન્સિક ટીમ પુરાવા ભેગા કરવામાં લાગી
જય વિલાસ પેલેસમાં ચોરીનો મોમલો સામે આવ્યો છે
ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ અને ગ્વાલિયરના મહારાજા જ્યોતિરાદિત્ય સિંધિયાના જય વિલાસ પેલેસમાં ચોરીનો મોમલો સામે આવ્યો છે. સૌથી સુરક્ષિત મનાઈ રહેલા જય વિલાસ પેલેસમાં થયેલી આ ઘટનાને પગલે પોલીસ પ્રશાસનમાં હડકંપ મચ્યો છે. ત્યારે સેંધમારી બાદ પોલીસ સ્નિફર ડોગની મદદથી ચોરો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
અધિકારી અને પોલીસ ફોર્સની સાથે ડોગ સ્ક્વોર્ડ તથા ફોરેન્સિંક ટીમ સ્થળ પર
સિંધિયા રાજવંશના જય વિલાસ પેલેસ પરિસરમાં ચોરીને લઈને ગ્લાલિયરના પોલીસ અધિક્ષક રત્નેશ તોમરે કહ્યું કે બુધવારે સવારે રાની મહેલથી જણાવવામાં આવ્યું કે છતના રસ્તે થઈને ચોર મહેલના એક રુમમાં ઘૂસ્યા હતા. સૂચના મળતા જ તુરંત પોલીસ અધિકારી અને પોલીસ ફોર્સની સાથે ડોગ સ્ક્વોર્ડ તથા ફોરેન્સિંક ટીમ સ્થળ પર મોકલવામાં આવ્યું.
ફોરેન્સિક ટીમ પુરાવા ભેગા કરવામાં લાગી
હકિકતમાં પોલીસ અને ફોરેન્સિક ટીમે ભાજપ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ જય વિલાસ પેલેસ પહોંચી ચોરીની જગ્યાએ ફ્રિંગરપ્રિંટ અને જરૂરી પુરાવા જપ્ત કરી લીધા છે. જ્યારે મહેલમાંથી એક પંખો અને કોમ્પ્યૂટર સીરીયુ ચોરી થયાની વાત સામે આવી છે.
કેમ ખાસ છે જય વિલાસ પેલેસ
ઉલ્લેખનીય છે કે વિલાસ પેલેસ ન ફક્ત દેશ બલ્કે વિદેશમાં પણ ઘણો ચર્ચિત છે. આ જ કારણ છે કે આને જોવા માટે દેશ વિદેશથી લોકો આવે છે. આ પેલેસને શ્રીમંત જયાજી રાવ સિંધિયાએ વર્ષ 1874માં બનાવડાવ્યો હતો. અને લગભગ 40 એકરમાં ફેલાયેલો છે. જ્યારે આની કિંમત 4 હજાર કરોડ છે. ત્યારે 1964માં જીવાજી રાવ સિંધિયા મ્યૂઝિયમ વાળા ભાગને લોકો માટે ખોલવામાં આવ્યો હતો. ત્યારથી અહીં મોટી સંખ્યામાં લોકો આવે છે. એટલું જ નહીં 400 રુમ વાળા આ પેલેસને સેંકડોની સંખ્યામાં વિદેશી કારીગરોએ બનાવ્યો હતો. જ્યારે આ દિવારો પર સોના અને ચાંદીની કારીગરી કરવામાં આવી હતી. આ ઉપરાંત જય વિલાસ પેલેસમાં 3500 કિલોના 2 ઝુમર લાગેલા છે. જેને જોતા જ ખબર પડી જાય છે.