રાજગઢ જિલ્લામાં NH-52 પર ગંભીર સડક અકસ્માત થયો છે. આ અકસ્માતમાં પંચ દસાનન જૂના અખાડાના અધ્યક્ષ મહંત સોમેશ્વર ગિરી સહિત 5 લોકોના મોત નીપજ્યા છે. જેમાં 4 મૃતકો ઈન્દોરના 1 જ પરિવારના છે. પતિ પત્ની અને તેમના 2 બાળકોના ઘટનાસ્થળે મોત થયા છે. આ સાથે 4 લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. ઘાયલો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મહંત ગિરી પોતાના સાથીઓ સાથે અમદાવાદથી લખનઉ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો.
રાજગઢ જિલ્લામાં એન.એચ.-52 પર સારંગપુર નજીક વૅગનર અને ઇનોવા વચ્ચેની ભીષણ ટક્કરમાં 5 લોકોનાં મોત નીપજ્યાં છે અને 4 ઘાયલ થયા છે. બાયપાસ નજીક વૅગનર કાર અને ઇનોવાની ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે વેગનરના ખુરચા ઉડી ગયા હતા. ઇંદોરનો યાદવ પરિવાર વાહનમાં સવાર હતો. જે ગુનાથી ઈન્દોર પરત પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. ચારેયનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકોના નામ અમરસિંહ, તેની પત્ની સિયા દુલારી, પુત્ર શૈલેષ (25 વર્ષ) અને મોહિત (14 વર્ષ) છે. બીજી તરફ, ઇનોવામાં સવાર પંચ દસાનાન જુના અખાડાના પ્રમુખ મહંત સોમેશ્વર ગિરી અમદાવાદથી લખનઉ જઇ રહ્યા હતા. આ અકસ્માતમાં તેમના સાથીઓ ઘાયલ થયા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
અચાનક મોટો અવાજ આવતાં સ્થાનિકો દોડીને આવ્યા
ગાડીઓની ટક્કર એટલી જોરથી થઈ કે તેનો જબરદસ્ત અવાજ દૂર સુધી સંભળાયો. અવાજ આવતાં જ આસપાસના લોકો દોડીને આવ્યા અને મદદ કરવા દોડ્યા. સૂચના મળતાં જ સારંગપુર પોલીસ પણ સ્થળ પર પહોંચી. ઘટનાસ્થળે 4 લોકોના મોત થયા હતા અને 5 ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમાંથી જૂના અખાડાના સંતે સારવાર દરમિયાન પ્રાણ છોડી દીધા હતા. અત્યારે 4 લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.