લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક પહોંચી રહી છે તેમ તેમ વિપક્ષના હોંસલા બુલંદ થતા નજરે પડી રહ્યા છે. ભાજપ વારંવાર ગઠબંધનને મહામિલાવટી કહી રહ્યું છે ત્યારે હવે આરજેડીના નેતા તેજસ્વી યાદવે પણ ભાજપ પર નિશાન સાધ્યું છે. જોઇએ આ અહેવાલમાં.
લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક પહોંચી રહી છે તેમ તેમ વિપક્ષના હોંસલા બુલંદ થતા નજરે પડી રહ્યા છે. ત્યારે આરજેડીના નેતા તેજસ્વી યાદવે ભાજપને આડેહાથ લેતા કહ્યું કે, કહ્યું કે, હવે તો ભાજપના લોકો પણ હાર માનવા લાગ્યા છે. આ લોકો 23 મે બાદ ડાયનાસોરની જેમ ગાયબ થઈ જશે.
વધુમાં તેમણે કહ્યું કે, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ પણ કહી રહ્યા છે કે, સહયોગ વગર સરકાર બની શકશે નહીં. એક તરફ ભાજપ મહામિલાવટી ગઠબંધન કહે છે તો ભાજપના લોકો ચૂંટણી બાદ કોઈનો સહયોગ નહીં લે. તમે જુઓ આગળ આગળ આમની કથની અને કરણીમાં અંતર છે.