વધતી મોંઘવારીના પરિણામે રાજ્યના 3 લાખથી વધુ શિક્ષકો અને અન્ય કર્મચારીઓ મુશ્કેલીમાં.રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી મોંધવારી ભથ્થું વધારવા માંગણી
મોંઘવારીના ખપ્પરમાં શિક્ષકો પણ
મોંઘવારી ભથ્થું વધારવા થઇ માંગણી
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે લખ્યો CMને પત્ર
દેશમાં રાજાની કૂવરીની જેમ દિવસે ન વધે તેટલી રાત્રે વધતી મોંઘવારીના પરિણામે રાજ્યના 3 લાખથી વધુ શિક્ષકો અને અન્ય કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે રાજ્યના મુખ્યમંત્રીને એક પત્ર લખી આ શિક્ષકો અને અન્ય કર્મીઓ માટે મોંધવારી ભથ્થું વધારવા માંગણી કરી છે. ઉપરાંત જે મોંઘવારી ભથ્થું વધારવામાં આવે તે કેન્દ્રના ધારા- ધોરણ પ્રમાણેનું મોંઘવારી ભથ્થુ હોય તેવી માંગ કરી છે.
ત્રણ લાખથી વધુ છે શિક્ષકો
દેશમાં કાળ-ઝાળ બનેલી મોંઘવારીના કારણે સામાન્ય અને ગરીબીની રેખા હેઠળ જીવતા નાગરિકોનું જીવન દોહ્લ્યું બની ગયું છે.પેટ્રોલ-ડીઝલ,દાળ-શાકભાજી ઉપરાંત ગેસ, સહિતની જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ મોંઘી થઇ ગઈ છે. આવા સંજોગોમાં ગુજરાતના 3 લાખથી વધુ શિક્ષકો અને સંલગ્ન કર્મચારીઓ પણ મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે.ત્યારે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે રાજ્યના મુખ્યમંત્રીને એક પત્ર લખી આ શિક્ષકો અને અન્ય કર્મીઓ માટે મોંધવારી ભથ્થું વધારવા માંગણી કરી છે. કેન્દ્રની જેમ રાજ્ય સરકાર પણ દિવાળી સમયે મોઘવારી ભથ્થુ વધારી આપે તેવી માંગ કરાઈ છે. કેન્દ્ર દ્વારા 3 ટકા મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે.
મોંઘવારી ભથ્થું વધારી, આપો ન્યાય
વધતી મોંઘવારીથી જીવન જરૂરી તમામ ચીજ વસ્તુઓ મોંઘી થઇ ગઈ છે. ફળ-ફ્રુટ -દૂધ,શાકભાજી સહીત વાહનવ્યવહાર ભાડા મોંઘા થતા તમામ વસ્તુઓ પર મોંઘવારીની અસર વર્તાઈ રહી છે.આવા સમયે શિક્ષકો અને અન્ય કર્મીઓ સાથે મોંઘવારી ભથ્થા રૂપી ન્યાય થાય તેવી માંગણી કરવામાં આવી છે