હવામાનવિભાગે ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં વાયુ વાવાઝોડું આવવાની ચેતવણી આપી દીધી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડું 75થી લઇને 135 કિલોમીટરની ઝડપે ત્રાટકશે. આ વાવાઝોડું 12-13 જૂને સૌરાષ્ટ્ર પર ત્રાટકી શકે છે.
વાવાઝોડાને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યમાં 13થી 15 જૂન સુધી 3 દિવસીય શાળા પ્રવેશોત્સવ રદ કરી દીધો છે. જ્યાં સુધી વાવાઝોડાની અસર જોવા મળી રહી છે તે 10 જિલ્લાઓની શાળા અને કોલેજોમાં 13 અને 13 જૂન બે દિવસની રજા જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે હાલ વલસાડ સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઇ ચૂકી છે.
Gujarat Chief Minister Vijay Rupani has cancelled the 3-day Shala Praveshotsav (Welcoming to the school festival) from 13 to 15 June in the entire state. He has also declared two days holiday on 13&14 June in schools&colleges in 10 districts where #CycloneVayu is likely to impact https://t.co/mtkhX62rAY
ત્યારે ગાંધીનગરમાં CMની અધ્યક્ષતામાં વાવાઝોડાને લઈને બેઠક યોજાઇ હતી. આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, આ વાવાઝોડામાં રાજ્યના 60 લાખ લોકોને વાવાઝોડાની અસર થશે. રાજ્યના 400 ગામડામાં વાવાઝોડાની અસર થઈ શકે છે. વાવાઝોડાથી સૌરાષ્ટ્રના 10 જિલ્લા અને 31 તાલુકામાં વ્યાપક અસર થશે. વાવાઝોડા દરમિયાન વીજલાઈનને અસર થઈ શકે છે. લોકોના સ્થળાંતર માટે ST બસને ઉપયોગમાં લેવાશે. સરકારી ઈમારતો અને ટ્રસ્ટોની બિલ્ડીંગોમાં અસરગ્રસ્તોને રખાશે. આરોગ્ય વિભાગ અને વાહન વ્યવહાર વિભાગને કામે લગાડાયા.
તેમણે કહ્યું કે, ગુજરાત પોલીસની SDRFની 10 ટીમો તૈનાત કરાઇ છે. આર્મીની 10 ટીમ તૈનાત કરાઈ છે. આર્મીની 23 ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. કચ્છમાં બચાવ કાર્ય માટે BSFની 2 ટીમ તૈનાત કરાઇ છે.
વધુમાં તેમણે કહ્યું કે, 13 જૂને સવારે 5 વાગ્યા આસપાસ વાવાઝોડૂ ત્રાટકશે. રસ્તા ખુલ્લા કરવા માટે 100 JCB રાખવામાં આવ્યા છે. કોઈપણ સમયે મદદ માટે 23 ટીમો તૈનાત છે. ખોરવાયેલા વીજ પુરવઠાને શરૂ કરવા GEB ટીમ સતર્ક છે. 10 જિલ્લામાં કેબિનેટ મંત્રી અને સિનિયર નેતાઓ પહોચશે. સિનિયર સચિવો પણ અસરગ્રસ્ત જિલ્લાઓમાં જશે. CM, DyCM અને મહેસુલ મંત્રી ગાંધીનગર કંટ્રોલરૂમથી મોનિટરિંગ કરશે. નાગરિકોને 3થી 4 દિવસનું પાણી સંગ્રહી રાખવા સુચનો કરાયા છે. પેટ્રોલ અને ડિઝલ વાહનોમાં રાખવા સુચન અપાયા છે.