ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસને હારનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં જ યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે ત્યારે દિલ્હી હાઇકમાન્ડ આ મુદ્દે એક્શનમાં આવ્યું છે.
ગુજરાત કોંગ્રેસને લઇ મોટા સમાચાર
ગુજરાતની ચૂંટણીઓમાં સતત હારના કારણે મોટા ફેરબદલ
ગેહલોતની ગમે તે ઘડીએ ગુજરાતમાં થશે એન્ટ્રી
ગુજરાત કોંગ્રેસને લઇ મોટા સમાચાર અહેવાલો સામે આવ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ગેહલોતની ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં રી-એન્ટ્રી થઇ શકે છે.
રાજીવ સાતવથી હાઇકમાન્ડ નારાજ
ઉલ્લેખનીય છે કે, હાલ ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે રાજીવ સાતવ છે પરંતુ પ્રભારી રાજીવ સાતવની કામગીરી સામે સવાલો ઉભા થતાં હાઇકમાન્ડ એક્શન મોડમાં આવ્યું છે અને અશોક ગેહલોતને જવાબદારી સોંપવામાં આવે તે મુદ્દે મંથન કરવામાં આવી રહ્યું છે.
અશોક ગેહલોતની ગુજરાતના રાજકારણમાં થશે
આપને જણાવી દઇએ કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ગેહલોતને પહેલા પણ ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી હતી, જો કે, ત્યારબાદ તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રી બનતા આ જવાબદારી રાજીવ સાતવને સોંપવામાં આવી હતી. પરંતુ ગુજરાત કોંગ્રેસની વર્તમાન સ્થિતિને લઈને હાઇકમાન્ડ ફરી અશોક ગેહલોતને ગુજરાતની જવાબદારી સોંપી શકે છે.