અમદાવાદનામાં એક પોલીસ જવાના આપઘાતને પગલે ખળભળાટ મચી ગયો છે. હાલ કોરોના સંકટ ચાલી રહ્યુ છે અને લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે ત્યારે ખડે પગે ફરજ નિભાવતા સાચા સુપરહિરો સમાન પોલીસ સાચા અર્થમાં કોરોના વોરિયર્સ સાબિત થયા છે પણ આ યુવાનની આત્મહત્યાને પગલે સમગ્ર પોલીસબેડામાં સંતાપોનો માહોલ જોવા મળ્યો હતો.
J-ડિવિઝન ટ્રાફિકમા ફરજ બજાવતા પોલીસ કર્મચારી કરી આત્મહત્યા
રવિ કાળોતરા નામના પોલીસ કર્મીએ ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત
આપઘાતનુ કારણ અકબંધ, પોલીસે વધુ તપાસ હાથ ધરી
અમદાવાદમાં J-ડિવિઝન ટ્રાફિકમા ફરજ બજાવતા પોલીસ કર્મચારી એ પોતાનું જીવન ટુંકાવી દીધુ છે. રવિ કાળોતરા નામના પોલીસ કર્મીએ ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો છે.
આપઘાતનુ કારણ અકબંધ
આ આશાસ્પદ યુવાને આપઘાત કેમ કર્યો તેનું કારણ હજુ સુધી જાણવા મળ્યુ નથી. માત્ર અટકળો આ યુવાનના મોત માટે લગાવવી યોગ્ય નથી. પણ આવડી અમથી ઉંમરમાં ચુસ્ત, દુરુસ્ત પોલીસકર્મીના આપઘાતથી શોકનું મોજુ ફરી વળ્યુ છે.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
પોલીસે પણ પોતાના જ સ્ટાફના માણસના આપઘાતની કાર્યવાહી હાથ ધરી છે. હાલ સંકટ સમયમાં સ્ટ્રેસને કારણે અને સતત પરિવારથી દૂર રહેવાને કારણે જીવનમાં ચાલી રહેલા ક્લેશનો સામનો કરતા પોલીસકર્મીઓ ખરેખર કોરોના વોરિયર્સ સાબિત થયા છે. કેટલાક પોલીસકર્મીઓ તો ખુદ કોરોનાનો શિકાર બની ગયા છે.