મોરબી જિલ્લાના પીપિળયા ગામમાં રહેતા મૂછિડયા કાંતિલાલે આગામી 28મીએ પરદાદાની આજ્ઞાથી જીવતાં સમાધિ લેવાનો નિર્ણય કરતાં સમગ્ર પંથકમાં સનસનાટી મચી જવા પામી છે.
પરદાદાની વાત માની ધર્મનો રસ્તો અપનાવ્યો
દાદા નવઘણાનંદના આદેશથી જીવતા સમાધી લઈશ
અગાઉ દેહત્યાગનો દાવો થયો હતો પોકળ
કાંતિલાલ ઘણા સમય પહેલાં કોઈ અસાધ્ય બીમારીથી પીડાતા હતા. તેમણે ડોક્ટર તેમજ ભૂવાને બતાવ્યું, પરંતુ તેમના રોગનું કોઈ નિદાન થતું નહોતું. તે મૃત્યુ નજીક પહોંચ્યા હતા. ત્યારે તેમના પરદાદા-નવઘણ દાદાએ તેમને સપનામાં આવીને કહ્યું કે હું તને જે રસ્તો બતાવું તે રસ્તે તું ચાલ, હું તને જીવતદાન આપીશ, પરંતુ તે માટે તારે બધાં વ્યસનને તિલાંજલિ આપવી પડશે અને ધર્મ-ભક્તિના માર્ગે ચાલવું પડશે તથા હું કહું એટલે તારે જીવન છોડીને મારી પાસે આવતાં રહેવું પડશે.
પરદાદાની વાત માની ધર્મનો રસ્તો અપનાવ્યો
કાંતિલાલે કહ્યું, મેં પરદાદાની વાત માનીને ધર્મનો રસ્તો પકડ્યો હતો અને વ્યસન છોડી દીધું હતું. તેઓ કહેતા હતા કે મારા નવઘણ દાદા સાથે હું વચને બંધાયેલ છે કે હું કહું એટલે તારે ચાલતાં થઈ જવાનું. આ વાત થોડા દિવસ પહેલાં અચાનક જ કાંતિલાલે તેમના પરિવારને કહેતાં પરિવારજનો ચોંકી ઊઠ્યા હતા અને તા.28ના રોજ સવારના 9.30થી 9.45ના સમય દરમિયાન જીવતાં સમાધિ લેવાની જાહેરાત કરી હતી.
પોતાના નિર્ણય પર અડગ
તેમણે એમ પણ કહ્યું કે સરકાર જ્યાં જગ્યા ફાળવે ત્યાં સમાધિ લેશે અને જગ્યા ન આપે તો તે કપડાંની આડશ ઊભી કરીને પ્રાણ ત્યાગ કરશે, જોકે કાંતિલાલને આ મુદ્દે ગામના સરપંચ અલ્પેશ કોઠિયા દ્વારા પણ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ તેઓ ટસ ના મસ થયા નહોતા અને પોતાના નિર્ણય પર અડગ રહ્યા હતા.
દાદા નવઘણાનંદના આદેશથી જીવતા સમાધી લઈશ
મોરબીના આધેડનો જીવતા સમાધી લેવાની ઈચ્છા દર્શાવતો વીડિયો વાઈરલ થયો છે. કાંતિભાઈ મુછાડિયા નામના આધેડનો વીડિયો વાયરલ થયો છે. પીપળીયા ગામના આધેડે સમાધિ લેવાનો વીડિયો વાયરલ કર્યો છે. દાદા નવઘણાનંદના આદેશથી જીવતા સમાધી લઈશ. દાદાએ મને સપનામાં આવેની સમાધિ લેવાનો આદેશ કર્યો છે.
અગાઉ દેહત્યાગનો દાવો થયો હતો પોકળ
દાદાએ મને જીવાડ્યો હતો. અને હવે દાદાએ હુકમ કરતા એટલે હું જીવતા સમાધી લઈશ. અગાઉ જામનગરના જામવંથલીમા 77 વર્ષના હરિલાલ વેલજીભાઇ ખોલીયાએ દેહત્યાગ કરવાની ભવિષ્યવાણી કરી હતી. તેમની ભવિષ્યવાણીને લઈને પરધામ ફૂલવાડી મંદિરમાં પાંચ દિવસ સુધી સમારોહ યોજાયો હતો. તે સમયે હરિલાલ બેભાન થયા હતા. હરિલાલા બેભાન થતા લોકોએ દેહત્યાગ કર્યો હોય તેવુ વિચાર્યુ હતુ. જોકે બે કલાક બેભાન રહ્યા બાદ હરીબાપા ભાનમાં આવ્યા હતા. આમ બાપાનો દેહત્યાગનો દાવો પોકળ સાબિત થયો છે.