ગુજરાતમાં કોરોનાવાયરસ મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. હાલ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હાલ જે જિલ્લાઓમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા ઓછી હતી ત્યાં પણ હવે ધીરે-ધીરે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના મહીસાગર જિલ્લામાં કોરોના સંક્રમિત કેસોમાં વધારો જોવા મળતા લુણાવાડામાં આગામી 17 તારીખથી 20 તારીખ સુધી લોકો સ્વયંમ જનતા કર્ફ્યું પાળશે.
મહીસાગરમાં કોરોનાનો કેર
લોકોએ જનતા કર્ફ્યનો લીધો નિર્ણય
આગામી ત્રણ દિવસ જનતા કર્ફ્યું રહેશે
મહીસાગર જીલ્લામાં દીન પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે અને લોકલ સંક્રમણ વધી રહ્યું છે. હાલમાં જિલ્લામાં પોઝીટિવ કેસોનો આંક 211 પર પહોચ્યો છે. આ સાથે સાથે જિલ્લામાં મૃત્યુ આંક 12 પર પહોચ્યો છે.
આમ મહીસાગર જીલ્લામાં કોરોનાના કારણે દહેશત ફેલાયેલી છે એવામાં જીલ્લામાં વિવિધ એસોસિએશન તેમજ વિવિધ સમાજો દ્વારા જિલ્લા ક્લેક્ટરને લેખિત આવેદન આપીને આગામી ત્રણ દિવસ જનતા કર્ફ્યું પાળવાની પરવાનગી માંગી છે.
ત્યારે જિલ્લામાં આગામી 17 તારીખ થી 20 તારીખ સુધી ત્રણ દિવસ એટ્લે કે શુક્રવાર શનિવાર અને રવિવાર માટે લુણાવાડામાં બજારો બંધ રહશે. લોકો સ્વયંમ જનતા કર્ફ્યું પાળશે. આ આવેદનને જિલ્લા તંત્ર દ્વારા પણ સમર્થન મળ્યું છે.