કેન્દ્ર સરકાર દ્વારા બનાવામાં કૃષિ બિલને લઇને દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને ધીરે-ધીરે હવે દેશવ્યાપી સમર્થન મળતું જોવા મળી રહ્યું છે. જેમાં આજે ગુજરાત ખેડૂત સમાજ દ્વારા ખેડૂતો દ્વારા આવતી કાલના ભારત બંધના એલાનને સમર્થન આપવાની વાત કરી છે. આ સાથે ગુજરાત ખેડૂત સમાજ દ્વારા 4 જેટલા કાર્યક્રમોની જાહેરાત પણ કરવામાં આવી છે.
ખેડૂતો દ્વારા આવતીકાલે ભારત બંધનુ એલાન
ગુજરાત ખેડૂત સમાજ દ્વારા ભારત બંધ એલાનને સમર્થન
ખેડૂત સમાજ દ્વારા 4 જેટલા કાર્યક્રમોની જાહેરાત કરાઈ
કેન્દ્ર સરકારના કૃષિ બિલના વિરોધને લઇને ખેડૂતો દ્વારા ચલાવામાં આવી રહેલા આંદોલનને હવે વધુને વધુ સમર્થન મળી રહ્યું છે. જે કેન્દ્ર સરકાર માટે એક ચિંતાજનક સમાચાર ગણી શકાય. ગુજરાત ખેડૂત સમાજ દ્વારા ભારત બંધ એલાનને સમર્થનને જણાવામાં આવ્યું છે. ગુજરત ખેડૂત સમાજ દ્વારા ખેડૂત સંઘર્ષ સમિતિ બનાવામાં આવી છે.
ગુજરાત ખેડૂત સમાજ દ્વારા 10મી તારીખે રાજ્યવ્યાપી ધરણા કરવામાં આવશે. જ્યારે 11મીએ ખેડૂત સંસદ તેમજ 12મી તારીખે દિલ્હી પ્રયાણની જાહેરાત કરવામાં આવી છે. જો કે આજ મળનારી 3 વાગ્યાની બેઠકમાં રણનીતિ તૈયાર કરવામાં આવશે.
રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે
ખેડૂતો દ્વારા આવતી કાલે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. જેને દેશવ્યાપી સમર્થન મળી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ગુજરાત ખેડૂત સમાજ દ્વારા ભારત બંધ એલાનને સમર્થનની જાહેરાત કરવામાં આવી છે ત્યારે સૌરાષ્ટ્રના રાજકોટ અને ગોંડલ માર્કેટ યાર્ડ પણ ખેડૂતોના વિરોધના સમર્થનમાં બંધ રાખવામાં આવશે.