અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદે કોર્પોરેશનના પ્રિમોન્સુન પ્લાનની પોલ ખોલી નાખી છે..પહેલા જ વરસાદે શહેરમાં ઠેર ઠેર ભૂવા પાડી દીધા છે...શહેરના અનેક રોડ રસ્તા પર ભૂવા પડયા છે ..જેના કારણે શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડયો છે..પ્રજા પાસેથી કરોડોનો ટેક્સ ઉઘરાવતી AMC સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે...
દ્રશ્યોમાં દેખાતો ભૂવો શહેરના પોશ વિસ્તાર કહેવાતા જજીસ બંગલા વિસ્તારનો છે...તો આ દ્રશ્યોમાં દેખાતો ભૂવો શહેરના પ્રહલાદનગર વિસ્તારનો છે...આ વિસ્તાર પણ શહેરનો પોશ એરિયા કહેવાય છે..તો આપે જોયું કો રાજ્યની આર્થિક રાજધાની કહેવાતા અમદાવાદના શું હાલ છે ?...પોશ એરિયાના પણ આવા હાલ છે તો અન્ય વિસ્તારનું તો વિચારવાનું જ નહીં ને ?...હજુ એક ભૂવો દેશની શાન ગણાતા ઈસરો નજીક ભૂડયો છે...તો મોતના ભૂવામાં પશ્વિમ વિસ્તાર પણ બાકાત નથી...
જીહા અમરાઈવાડી વિસ્તારમાં ઉત્કર્ષ શાળા સામે મસમોટો ભૂવો પડયો છે.. ઉલ્લેખનીય છે કો ગયા વર્ષમાં પાલડી વિસ્તારમાં એક મહિલા એક્ટીવા લઈને ભૂવામાં પડી હતી છતાં કૅંભકર્ણની નિંદ્રામાં પોઢેલા અધિકારીઓ જાગતા નથી..બીજી તરફ ગત ચોમાસાના તૂટેલા રોડના જવાબદાર હજુ દંડાયા નથી.. 7એડિશનલના ઈજનેરો સહિત 70થી વધુ અધિકારીઓને નોટિસ આપી હતી..
આજદિન સુધી કોઈ જવાબદાર અધિકારીને દંડવામાં આવ્યા નથી. ત્યારે અહી અનેક પ્રકારના સવાલ થાય છે..આને અમદાવાદ કહીએ ભૂવાવાદ.... શું તંત્ર મોતની રાહ જુએ છે.. શું મોત થયા બાદ તંત્ર જાગશે....તંત્ર કયારે જાગશે... તમામ પ્રકારના સવાલ થાય છે..