કોરોનાના ટેસ્ટ કરવા અંગે હાઈકોર્ટમાં સુઓમોટો થયો. આ મામલે હાઈકોર્ટે 76 પાનાનો હુકમ જાહેર કર્યો છે. આ હુકમમાં જણાવાયું છે કે, કોવિડ ટેસ્ટ મહત્વના આદેશ કરવામાં આવ્યા છે એટલું જ નહીં પરંતુ હાઈકોર્ટે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિને પણ ચેતવણી આપી છે. સિવિલમાં પૂરતી સારવાર મળે તે માટે આરોગ્ય સચિવની જવાબદારી નક્કી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પૂરતી સુવિધા અને યોગ્ય ટ્રિટમેન્ટ મળે તેવુ હાઈકોર્ટે જણાવ્યું છે. આ મામલે સરકારે આજથી જ ડેમેજ કંટ્રોલના ભાગ રૂપે એકથી બે કલાકમાં ટેસ્ટિંગની મંજૂરી માટેના આદેશ આપી દીધા છે.
કોવિડ ટેસ્ટને લઈને હાઈકોર્ટનો હુકમ, 76 પાનાંનો કર્યો મહત્વનો હુકમ
સિવિલ હોસ્પીટલને લઈને પણ કોર્ટની સ્પષ્ટ ટકોર
આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિને પણ કોર્ટે આપી ચેતવણી
શું કહ્યુ હાઈકોર્ટે?
કોવિડ ટેસ્ટ માટે કોઈપણ ફિઝિશિયન કે સર્જન મંજૂરી માંગી શકશે. 24 કલાકની અંદર ટેસ્ટ માટે મંજૂરી આપવા હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો છે. અગાઉ 48 થી 72 કલાક સુધી મંજૂરી નહોતી મળી શકતી. મંજૂરી ન મળવાથી દર્દીઓને ભારે હેરાનગતિ ભોગવવી પડતી હતી.
જયંતિ રવિને આપી ચેતવણી
COVID-19 ટેસ્ટ મામલે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિને પણ કોર્ટે ચેતવણી આપી હતી. સિવિલમાં પૂરતી સારવાર મળે તે માટે આરોગ્ય સચિવની જવાબદારી નક્કી કરાઇ છે. સિવિલમાં પૂરતી સારવાર માટેની સંપૂર્ણ જવાબદારી આરોગ્ય સચિવને માથે રહેશે. દર્દીઓને પૂરતી સુવિધા અને યોગ્ય ટ્રીટમેન્ટ મળવી જોઈએ. સિવિલ હોસ્પિટલને લઈને પણ સ્પષ્ટતા કરી હતી.
સરકારે ડેમેજ કંટ્રોલ કરવાની કવાયત હાથ ધરી
COVID-19ના દર્દીના નિદાન અંગે લેબોરેટેરી ટેસ્ટની મંજૂરી આપવા બાબતે આરોગ્ય અધિક નિયામક ડો. પ્રકાશ વાઘેલાએ આદેશ આપ્યા હતા. જેમાં રીતસર આ અંગે એકાદ બે ક્લાકમાં જ જવાબ આપી દેવો અને સાંજે 5 વાગ્યા સુધીમાં તમામ રિપોર્ટના ડેટા તૈયાર કરી લેવા અંગે ટકોર કરતો સરક્યુલર જાહેર કર્યો છે. અમદાવાદમાં ખાનગી લેબોરેટરીમાંથી આવેલા સેમ્પલને ઝડપથી મંજૂરી આપી દેવી અને તેનું સમયસર રિપોર્ટિંગ કરવું તેવા આદેશ અધિક નિયામકે આપ્યો છે.
શું હતો મામલો?
અમદાવાદ મેડિકલ એસોસિએશન તરફથી ગુજરાત હાઇકોર્ટમાં એક રિટ કરીને ખાનગી હોસ્પિટલો અને પેથોલોજીને કોરોના માટેનો RT-PCR ટેસ્ટ કરવા દેવાની માગ કરવામાં આવી છે. તે ઉપરાંત કોરોનાના ટેસ્ટ પહેલાં સોલા સિવિલ હોસ્પિટલની પૂર્વ મંજૂરી પણ ન લેવી પડે એવી માગ પણ કરવામાં આવી છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા આ રિટ કરી એવી રજૂઆત કરી છે કે, કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદ મેડિકલ એસોસિએશન સાથે સંકળાયેલા 900 પૈકી અનેક ડોકટર્સ ફ્રન્ટ લાઇન પર લડી રહ્યા છે અને કોરોના તથા કોરોના વિનાના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. કોરોના સામે લડવા માટે ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને આઇસોલેશન એ ત્રણ સૌથી મહત્ત્વના પાસા છે.
કોરોના સિવાયના દર્દીઓની સારવાર કરતાં અને ઘણી વખતે અગત્યની સર્જરી કરતાં પહેલાં દર્દીઓના કોરોનાના ટેસ્ટ કરવા અત્યંત જરૂરી અને મહત્ત્વના બની જાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઓથોરિટી તરફથી એવા નિર્દેશો કરાયા છે કે કોઇ પણ કોરોનાના ટેસ્ટ કરવા માટે સોલા સિવિલ હોસ્પિટલ જોડેથી મંજૂરી લેવાની રહેશે. આ પ્રકારની મંજૂરી સહિતની પ્રક્રિયાના પગલે અનેક ઇમરજન્સી કેસોમાં સારવાર આપવામાં વિલંબ થઇ શકે છે. ત્યારે ન માત્ર દર્દી પરંતુ તેની સર્જરી કે સારવાર કરનાર સ્ટાફ અને ડોકટર્સને પણ કોરેનાનો ચેપ લાગવાનો અજ્ઞાત ભય રહે છે.
રિટમાં વધુમાં એવા મુદ્દા ઉપસ્થિત કરાયા છે કે, કોઇ પણ દર્દીની સર્જરી કે ટ્રીટમેન્ટ પહેલાં તેના બધા ટેરટ કરવા અત્યંત જરૂરી હોય છે. દર્દી કોરોનાથી પીડિત છે કે કેમ તેની ખરાઇ વિના તેને હોસ્પિટલમાં દાખલ કરવો અન્ય દર્દીઓ માટે પણ જોખમી છે.