22 ડિસેમ્બર 2020ના રોજ ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણના 985 નવા કોરોનાના કેસ નોંધાયા છે. તેથી છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસ ઘટતા જોવા મળી રહ્યા છે જે રાહતના સમાચાર છે. જોકે, રાજ્યમાં કોરોનાના થતા ટેસ્ટની સંખ્યા પણ ઘટી છે. દરરોજના મુકાબલે 10 હજારથી વધુ ટેસ્ટ ઘટાડી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ સાજા થવાનો દર 93 ટકાને પાર પહોંચ્યો છે.
24 કલાકમાં 985 નવા કેસ સાથે 1309 દર્દીઓ થયાં સાજા
રાજ્યમાં આજે 4 લોકોના મોત
ગુજરાતમાં અત્યાર સુધીમાં 2,38,205 દર્દીઓ નોંધાયા
પ્રેસનોટ અનુસાર, ગત 24 કલાક દરમિયાન કોરોનાના 985 નવા કેસ સામે આવ્યા છે. જેથી ગુજરાતમાં અત્યાર સુધીમાં 2,38,205 દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 93.58 ટકા થયો છે. તો ગુજરાતમાં આજે 54,843 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેથી અત્યાર સુધીમાં કુલ 92,17,823 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જોકે પહેલા કરતા કોરોનાના ટેસ્ટની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે.
રાજ્યમાં આજે 1309 સાજા થયાં
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં આજે 1309 સાજા થયાં અને અત્યાર સુધીમાં કુલ 2,22,911 દર્દીઓ સાજા થયાં છે. આજે કોવિડ-19થી 6 દર્દીઓના મોત થવા પર રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 4254 થઇ ગઇ છે. તો હાલ 10,977 એક્ટિવ કેસ છે. જેમાંથી 63 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
અમદાવાદમાં સૌથી વધુ મોતનો સિલસિલો યથાવત્
રાજ્યમાં આજે અમદાવાદમાં 4, સુરતમાં 2 એમ કુલ 6 લોકોના કોરોનાથી મોત થયા છે. ત્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી સૌથી વધુ દર્દીઓના અમદાવાદમાં મૃત્યુ થઇ રહ્યા છે.
રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 195-ગ્રામ્યમાં 7 કેસ, સુરત શહેરમાં 123-ગ્રામ્યમાં 34 કેસ, વડોદરા શહેરમાં 96-ગ્રામ્યમાં 32 કેસ, રાજકોટ શહેરમાં 97-ગ્રામ્યમાં 29 કેસ અને ખેડામાં આજે 33 કેસ નોંધાયા છે.
રાજ્યમાં આજે જિલ્લાવાર નોંધાયેલા કોરોનાના કેસની વિગત