16 ડિસેમ્બર 2020ના રોજ ગુજરાતમાં સોમવારે કોરોના વાયરસ સંક્રમણના 1160 નવા કોરોનાના કેસ નોંધાયા છે. તેથી છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસ ઘટતા જોવા મળી રહ્યા છે જે રાહતના સમાચાર છે. જોકે, રાજ્યમાં કોરોનાના થતા ટેસ્ટની સંખ્યા પણ ઘટી છે. દરરોજના મુકાબલે 10 હજારથી વધુ ટેસ્ટ ઘટાડી દેવામાં આવ્યા છે.
24 કલાકમાં કોરોનાના 1160 નવા કેસ સામે 1384 દર્દીઓ થયાં સાજા
અત્યાર સુધીમાં કુલ 2,14,223 દર્દીઓ સાજા
ગુજરાતમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા ઘટી!
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં 1384 આજે સાજા થયાં અને અત્યાર સુધીમાં કુલ 2,14,223 દર્દીઓ સાજા થયાં છે. આજે કોવિડ-19થી 10 દર્દીઓના મોત થવા પર રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 4203 થઇ ગઇ છે. તો હાલ 12,647 એક્ટિવ કેસ છે. જેમાંથી 67 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
કોરોના ટેસ્ટિંગની સંખ્યા ઘટી!
પ્રેસનોટ અનુસાર, આજે 1160 નવા કેસ સામે આવ્યા છે. જેથી ગુજરાતમાં અત્યાર સુધીમાં 2,31,073 દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 92.71 ટકા છે. રાજ્યમાં આજે 54,864 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેથી અત્યાર સુધીમાં કુલ 88,35,130 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જોકે પહેલા કરતા કોરોનાના ટેસ્ટની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે.
પ્રધાનમંત્રીની કોરોના ટેસ્ટિંગ વધારવાની અપીલ બાદ પણ રાજ્ય સરકાર દ્વારા કોરોના ટેસ્ટિંગ પર ભાર નથી મુકવામાં આવતો તે નજરે આવી રહ્યું છે. હાલ કોરોના વાયરસના કેસ ઓછા આવી રહ્યા છે તેનું કારણ કોરોનાનું ટેસ્ટિંગ ઘટાડવાનું કારણ પણ હોઇ શકે છે. તેથી રાજ્ય સરકાર કોરોનાને ગંભીરતાથી ન લઇ રહી હોય તેવું લાગી રહ્યું છે.
અમદાવાદમાં સૌથી વધુ મોતનો સિલસિલો યથાવત્
રાજ્યમાં આજે અમદાવાદમાં 5, સુરતમાં 2, અમરેલી 1 વડોદરામાં 1 અને રાજકોટમાં 1 દર્દીના મોત સાથે આજે કુલ 10 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. ત્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી સૌથી વધુ દર્દીઓના અમદાવાદમાં મૃત્યુ થઇ રહ્યા છે.
મહાનગરોમાં કેસ ઘટ્યા!
રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 230-ગ્રામ્યમાં 9 કેસ, સુરત શહેરમાં 143-ગ્રામ્યમાં 26 કેસ, વડોદરા શહેરમાં 107-ગ્રામ્યમાં 42 કેસ, રાજકોટ શહેરમાં 104-ગ્રામ્યમાં 27 કેસ અને મહેસાણામાં 44 કેસ નોંધાયા છે.