કોરોના વાયરસે ગુજરાતને બાનમાં લીધું છે, તો એક તરફ સારા સમાચાર એવા પણ છે કે, રાજ્યમાં સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. જો કે, અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે ત્યારે આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી.
છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 485 કેસ નોંધાયા
અમદાવાદમાં 290 નવા કેસ
આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 485 નવા કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 18,117 થઇ છે. આ સાથે જ કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ 67.40 ટકા થયો છે.
અમદાવાદમાં કોરોનાના નવા 290 કેસ નોંધાયા
અમદાવાદમાં સૌથી વધુ 290 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 77 કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 318 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. આમ, અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 12,212 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
વિવિધ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
03/06/2020
પોઝિટિવ કેસ
અમદાવાદ
290
સુરત
77
ગાંધીનગર
39
વડોદરા
34
બનાસકાંઠા
10
ખેડા
5
પાટણ
5
ભાવનગર
4
મહેસાણા
4
પંચમહાલ
3
ભરૂચ
3
રાજકોટ
2
અરવલ્લી
2
નવસારી
2
આણંદ
1
સાબરકાંઠા
1
દાહોદ
1
જૂનાગઢ
1
સુરેન્દ્રનગર
1
24 કલાકમાં રાજ્યમાં મૃત્યુ પામેલ દર્દીઓની વિગત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત પણ આ પ્રેસનોટમાં આપવામાં આવી હતી. જે પ્રમાણે ગત 24 કલાકમાં 30 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1122 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે. આ સાથે જ હાલ 64 લોકો વેન્ટિલેટર પર છે તો 4783 લોકો સ્ટેબલ છે.