ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ આ ઉક્તિ રાજકારણમાં તો એક દમ સત્ય લાગે છે. ગુજરાતમાં સરકારી કામોમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થાય છે તેનું એક નવું ઉદાહરણ જામકંડોરણામાં સામે આવ્યું છે. કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયાના ગામમાં જ સરકારી મિલકત ઉપર લેઉઆ સમાજ દ્વારા કરોડો રૂપિયા વસૂલવામાં આવતા ચકચાર મચી ગઈ છે. RTIમાં આ બે નંબરી વ્યવહારો ખુલ્લા પડી જતા હવે કાયદાકિય પગલા લેવાય છે કે પછી ભીનું સંકેલાઈ જાય છે તે જોવું રહ્યું.
બે વર્ષના રૂ 9600ના ભાડા સામે સંસ્થાએ રૂ 1.20 કરોડ ઉઘરાવ્યા
દરેક નાના તાલુકા માં સરકાર દ્વારા લોકોં ની સુવિધા માટે અને નાના લોકો આનંદ થી પોતાના પ્રસંગો કરી શકે તે માટે સાંસ્કૃતિક ભવન ના નિર્માણ કરવા માં આવે છે, આવુ જ એક સાંસ્કૃતિક ભવન રાજકોટ જિલ્લા ના જામકંડોરણા માં કરવા માવ્યું હતું, જામ કંડોરણા માં ગુજરાત રાજ્ય ના માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા બનાવવા માં આવ્યું છે અંદાજિત 4 કરોડ ના ખર્ચે બનેલ આ સાંસ્ક્રુતિક ભવન ને જામકંડરોણા ગ્રામ પંચાયત ને સંચાલન માટે આપી દેવા માં આવેલ હતું,
ગ્રામપંચાયતને 22 વર્ષના ભાડા કરાર સાથે સોંપાયુ
સરકાર દ્વારા જામકંડોરણામાં લોકો માટે સાંસ્કૃતિક ભવનનું નિર્માણ કરવામાં આવ્યુ. લોકો પોતાના પ્રસંગ સરળતાથી કરી શકે તે માટે ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા 4 કરોડના ખર્ચે સાંસ્કૃતિક ભવન તૈયાર કરાયુ. આ ભવનને તંત્ર દ્વારા ગ્રામ પંચાયતને સંચાલન માટે આપવામાં આવ્યુ હતુ. સરકારે આપેલા ભવનને ગ્રામપંચાયત દ્વારા 22 વર્ષના ભાડા પેટે આપવાનો ઠરાવ કરવામાં આવ્યો.
લેઉવા પટેલને ભાડે આપ્યુ અને શરૂ થઈ ઘાલમેલ
લેઉવા પટેલ સમાજ દ્વારા સાંસ્ક્રુતિક ભવન 22 વર્ષ ના ભાડા પટ્ટે મેળવી ને લોકો ને અને સરકાર ને લૂંટવા નું શરૂ કર્યું, માત્ર 400 રૂપિયા ના માસિક ભાડે થી મેળવી ને લોકો પાસે થી એક દિવસ ના 11 હજાર રૂપિયા , લાઈટ બિલ અને સફાઈ ચાર્જ વસૂલવા લાગી, છેલ્લા બે વર્ષ અને બે મહિના થી આ સિલસિલો અને ચાલુ હતો, જેમાં મળતી માહિતી મુજબ 120 દિવસ માટે સમાજ બુક થઇ અને લોકો એ ઉપયોગ કરી ચુક્યા હતા, જે જોતા સરકાર ને અને લોકો ને લખો રૂપિયા નો ચૂનો લેઉવા પટેલ સમાજ દ્વારા લાગવી દેવામાં આવ્યો,
RTIમાં ભાંડો ફૂટ્યો
જયેન્દ્રસિંહ દ્વારા RTI કરવામાં આવતા સમગ્ર ખુલાસો થયો છે. જયેન્દ્રસિંહે ખુલાસો કરતા સમાજનો ભાંડો ફૂટ્યો છે. આ મામલો સામે આવતા જિલ્લા વિકાસ અધિકારી અને સચિવ દ્વારા ગ્રામપંચાયતનો ઠરાવ રદ કરવામાં આવ્યો છે. ત્યારે હવે આ ભવનને ફરી એક વખત ગ્રામપંચાયતને સોંપાવામાં આવ્યુ છે.
હજુ સુધી ગ્રામપંચાયત સામે કોઈ પગલા નથી લેવાયા
RTI એક્ટિવિસ્ટ જયેદ્રસિંહ દ્વારા આ સાંસ્ક્રુતિક ભવન માં થયેલ ભ્રસ્ટાચાર અંગે સમગ્ર ભાંડો ફૂટી ગયો ત્યાર બાદ સરકારી તંત્ર ને મોડે મોડે ભાન થતા જિલ્લા વિકાસ અધકારી અને સચિવ દ્વારા, જામ કંડોરણા ગ્રામ પંચાયત નો ઠરાવ ને રદ કરાવ્યો હતો, અને સરકાર નું આ સાંસ્ક્રુતિક ભવન ને ફરી થી ગ્રામ પંચાયત ને સોંપી દીધું હતું, અને પોતાની ભૂલ સુધારી હતી, પરંતુ ગ્રામ પંચાયત દ્વારા આચરવા માં આવેલ આ કૌભાંડ માં હજુ સુધી કોઈ સામે કાયદાકીય કાર્યવાહી શરૂ નથી કરવા માં આવી, સરકાર ને જે લખો નો ચૂનો ચોપડવા માં આવ્યો છે તેની કોઈ રિકવરી અંગે પણ કોઈ પગલાં નથી લેવા માં આવ્યા
કોઈ પગલા હજુ સુધી લેવાયા નથી
ગ્રામપંચાયત દ્વારા આચરવામાં આવેલા આ કૌભાંડમાં હજુ સુધી કોઈ પણ કાયદાકિય પગલા લેવામાં આવ્યા નથી. સરકારને લાખો રૂપિયાનો ચૂનો લગાવનાર સામે અત્યાર સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી.
VTV એ ઉઠાવ્યા પ્રશ્નો
આ મામલે વીટીવીની ટીમ દ્વારા તલાટી મંત્રીને સવાલ કરતા તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો. સરકારને લાખો રૂપિયાનો સમાજ દ્વારા ચૂનો લગાવવામાં આવ્યો હોવાનો તલાટીમંત્રીએ સ્વીકાર્યુ છે. તેમ છતા અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ મામલે અધિકારીઓ સમાજના આગેવાનોને છાવરતા હોય તેવુ લાગી રહ્યુ છે. વીટીવીની ટીમે તાલુકા વિકાસ અધિકારી સાથે વાત કરતા તેમણે આગામી સમયમાં કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
શું છે સરકારી નિયમ
સરકારના નિયમ મુજબ કોઈ એક લાખ સુધીની સરકારી મિલકતને જિલ્લાના વિકાસ અધિકારી દ્વારા ભાડા પર આપી શકાય છે. પણ રૂા. 1 લાખથી વધુની મિલકતને રાજ્ય સરકારના આદેશ વગર ભાડે આપી ન શકાય. ત્યારે હવે જામકંડોરણા ગ્રામ પંચાયત દ્વારા કાયદાના વિરૂદ્ધમાં ભવનને ભાડા પર આપવામાં આવતા તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવી શકે છે. આ મામલે ગ્રામ પંચાયતને દંડ સહિત સુપરસીડ પણ થઈ શકે છે.