ભારત સરકારની ગાઈડલાઈન મુજબ લૉકડાઉન 4.0માં રાજ્ય સરકારને રેડ ઝોન, ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોન બનાવવાની મંજૂરી આપી છે. સરકારને કન્ટેનમેન્ટ ઝોન અને નોન કન્ટેનમેન્ટ ઝોન બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આ લૉકડાઉનમાં છૂટછાટ અંગે મુખ્યમંત્રી દ્વારા જિલ્લાઓના કલેક્ટર અને મનપાના કમિશ્નર સાથે બેઠક કરવામાં આવી હતી. ત્યારે હવે આ બેઠક બાદ સીએમ રૂપાણીએ રાજ્યમાં છૂટછાટ અને પ્રતિબંધ અંગે સંબોધન કર્યું હતું. જેમાં કન્ટેનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં નથી આવી. જોકે નોન કન્ટેનમેન્ટ ઝોનમાં કેટલીક છૂટછાટ મળી છે. દિલ્હીની ગાઇડલાઇનની જેમ ગુજરાતમાં પણ ઓડ ઇવન પધ્ધતિ લાગૂ કરવામાં આવી છે.
ગુજરાતમાં છૂટછાટ અને પ્રતિબંધ અંગે રાજ્ય સરકારની મહત્વની જાહેરાત
લૉકડાઉન 4.0ને લઇને રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરાઇ ગાઈડલાઈન
મનપા કમિશનરો અને જિલ્લા કલેક્ટરો સાથેની CM રૂપાણીએ કરી હતી બેઠક
જાણો શું ચાલું રહેશે અને શું બંધ?
સેવા અને વિગતો
નોન કન્ટેનમેન્ટ ઝોન
કન્ટેનમેન્ટ ઝોન
રેલ અને હવાઈ યાત્રા, રાજ્યો વચ્ચે સડક યાત્રા
NO
NO
સ્કૂલ, કોલેજો, ટ્યુશન ક્લાસીસ અને શૈક્ષણિક સંસ્થા
NO
NO
અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં વેપાર, દુકાનો (ઓડ ઈવન પ્રમાણે)
YES
NO (પૂર્વ વિસ્તાર)
50-50 ટકા દુકાનો એક-એક દિવસે ખુલશે (પ થી વધારે ભેગાં નહીં)
YES
NO
શાકભાજી, દૂધ, દવા જેવી આવશ્યક વસ્તુઓ (સવારે 8થી 3)
YES
YES
પાન-મસાલા, હેર સલૂન, બ્યુટીપાર્લર
YES
NO
જીમ, સ્વિમિંગ પૂલ, ક્લબ, બગીચા, મનોરંજન પાર્ક વગેરે
NO
NO
મોલ અને મોલની દુકાનો, સિનેમા, મલ્ટિપ્લેક્સ
NO
NO
સ્ટ્રીટ વેન્ડર્સ (શાકભાજી ફેરિયા સિવાય)
NO
NO
ધાર્મિક સ્થળો અને ધાર્મિક પ્રવૃત્તિઓ
NO
NO
સુરતમાં ડાયમંડ અને ટેક્સટાઇલ સાથે ઉદ્યોગો
YES
NO
ST બસ સેવા (અમદાવાદ સિવાય)
YES
NO
AMTS અને અન્ય શહેરની સિટી બસ, ખાનગી બસ
NO
NO
સાંજે 7 થી સવારે 7 વચ્ચે જરૂરિયાત વગર ઘરની બહાર નીકળવું
NO
NO
દવાખાના / OPD
YES
YES
સાયકલ રીક્ષા, ઓટો રીક્ષા (2+1), ટેક્સી
YES
NO
અમદાવાદ અને સુરતમાં ઓટો રિક્ષા
NO
NO
કેબ, ટેક્સી (1+2)
YES
NO
પ્રાઈવેટ કાર (2+1), ટુ વ્હીલર (એક સવારી)
YES
NO
ખાનગી ઓફિસ (33% સ્ટાફ)
YES
NO
રેસ્ટોરન્ટમાં માત્ર હોમ ડિલીવરી (હેલ્થ કાર્ડ સાથે)
YES
NO
માલસામાનની હેરફેર માટેની ટ્રકો
YES
YES
લગ્નમાં 50 લોકો અને મરણમાં 20
YES
YES
હીરાના કારખાના, લૂમ્સના કારખાના 50 ટકાના સ્ટાફ
YES
NO
પબ્લિક લાયબ્રેરી (60 ટકા કેપીસિટી)
YES
NO
સિટી વિસ્તારની બહાર ઢાબા
YES
NO
10 વર્ષથી ઓછી, 65 વર્ષથી વધુની ઉમરની વ્યક્તિ અને ગર્ભવતી મહિલાનું બહાર નીકળવું
NO
NO
ગ્રામીણ વિસ્તારમાં ઉદ્યોગો, મનરેગા, ફૂડ પ્રોસેસિંગ, ઇંટ ઉત્પાદન
YES
NO
રિપેરિંગ શોપ, ગેરેજ, વર્કશોપ અને સર્વિસ સ્ટેશન
YES
NO
અન્ય નિયમો:
જાહેરમાં થૂંકનારને 200 રૂપિાયનો દંડ, માસ્ક નહીં પહેરનારને પણ 200 રૂપિયાનો દંડ
પાન-ગલ્લા પર ગ્રાહકો ઉભા રહી શકશે નહીં
સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે
ઓડ ઈવન એટલે એક દિવસે 50 ટકા ખુલ્લું રહેશે અને બીજા દિવસે 50 ટકા
અમૂલના પાર્લર પર 3 લેયર (રૂ.5) અને N 95 (રૂ.65)માં માસ્ક મળશે (આ તમામ નિયમો 31 મે સુધી લાગૂ રહેશે)
પ્રજાજોગ સંબોધનમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી સામે 54 દિવસથી ગુજરાતની જનતા લડી રહી છે. ત્રણેય લૉકડાઉનમાં ગુજરાતની જનતાએ સહકાર આપ્યો છે. કોરોના સંક્રમણને રોકવા સૌ પ્રયાસ કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ ગુજરાતની જનતાનો આભાર માન્યો. તેમણે કહ્યું, ગુજરાતની પ્રજાને અભિનંદન આપું છું. રાજ્ય સરકાર ગરીબ, શ્રમિક અને મધ્યમવર્ગની ચિંતા કરે છે.
મહત્વનું છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 4 મનપા કમિશનર સાથે લૉકડાઉન 4.0 અંગે ચર્ચા કરી હતી. ત્યારે 4 મનપા કમિશનર સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા મહત્વની ચર્ચા કરાઇ હતી. મુખ્યમંત્રી સાથે યોજાયેલી પ્રથમ તબક્કાની બેઠકમાં રાજ્યમાં છૂટછાટ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સ્વાસ્થ્ય સુરક્ષા સાથે વેપાર ધંધા શરૂ કરવાની ફોર્મુલા પર ચર્ચાઓ થઈ હતી. ત્યારે હવે લૉકડાઉન 4.0ના નિયમો અંગે રાજ્ય સરકાર દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે.
મંગળવારથી ગાઇડલાઇન અમલી થશે
લૉકડાઉનમાં આપણે સ્ટ્રિકલી આગળ વધી રહ્યા છે. ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે કલેક્ટરો સાથે ચર્ચા કરીને પોત પોતાના વિસ્તારના કન્ટેન્મેન્ટ ઝોન રાજ્ય સરકારને સોંપ્યા છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઇન બાદ રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, મંગળવાર સવારથી રાજ્યમાં ગાઈડલાઈનનો અમલ કરાશે.