કોરોના વાયરસની સ્થિતિ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકારે રજૂ કર્યો જવાબ : ઇન્જેકશનના કાળા બજારી પર કાર્યવાહી કરવાનો દાવો, લોકડાઉન કે કરફ્યુ પર વિચાર નહી
લોકડાઉન-કરફ્યુ પર એફિડેવિટમાં સરકારનો કોઈ મૂડ નહીં
17 એપ્રિલ બાદ ઓક્સિજનની કોઇ અછત નહીં થાય: સરકાર
લગ્ન મરણ પ્રસગમાં 50 લોકોની હાજરીની કરી છે જાહેરાત
સરકારે આપ્યો જવાબ
ગુજરાતમાં કોરોના વાયરસની બગડતી પરિસ્થિતિ મુદ્દે હાઇકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો હતો ત્યારે સરકાર તરફથી હાઇકોર્ટમાં 61 પાનાંનું સોગંધનામું રજૂ કરવામાં આવ્યું છે જેમાં સરકાર દ્વારા કોરોનાકાળમાં કરવામાં આવેલ કામગીરી વિશે જાણકારી આપવામાં આવી છે.
લોકડાઉન કે કર્ફ્યૂના મૂડમાં નથી સરકાર
સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસ મહામારીમાં સરકાર કટિબદ્ધ છે અને એફિડેવિટ પરથી જાણી શકાય છે કે સરકારનો લોકડાઉન કે કર્ફ્યૂને લઈને કોઈ જ વિચાર નથી ચાલી રહ્યો.
ઈંજેક્શન અને ઑક્સીજન પર હાઇકોર્ટને આપી ખાતરી
સરકાર દ્વારા હાઇકોર્ટમાં ઈંજેક્શન મુદ્દે પણ જવાબ આપવામાં આવ્યો છે જેમાં સરકાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે કાળાબજારી પર કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ઑક્સીજન મુદ્દે 17 એપ્રિલ બાદ અછત નહીં થાય તેવી ખાતરી આપવામાં આવી છે. સરકારે જણાવ્યું કે ઑક્સીજનનું ઉત્પાદન 900 મેટ્રીક ટનથી વધારી 1100 મેટ્રીક ટન કરવામાં આવ્યું છે.
લગ્ન અને મરણ માટે હાઇકોર્ટના સૂચન બાદ સરકારે લીધો નિર્ણય
હાઇકોર્ટ દ્વારા સુઓમોટો કેસમાં સુનાવણી દરમિયાન સૂચન કરવામાં આવ્યું હતું કે લગ્નમાં વધુમાં વધુ લોકોને એકઠા થવા પર લિમિટ 50 કરવામાં આવે ત્યારે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે લગ્ન મરણ પ્રસગમાં 50 લોકોની હાજરીની જાહેરાત કરી દેવામાં આવી છે.