રાજ્યમાં આવેલી તમામ ચેકપોસ્ટ બંધ કરવાનો રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આંતરરાજ્ય ચેકપોસ્ટ બંધ કરવાનો DGP દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ફાળવેલ મહેકમને અન્ય સ્થળે ફરજમાં લેવાનો DGP દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. ચેકપોસ્ટ બંધ કરીને જવાનોને કાયદો અને વ્યવસ્થાની જાળવણી અર્થે ફરજમાં લેવાનો આદેશ કરાયો છે. રાજ્યની આશરે 200થી વધુ ચેકપોસ્ટ બંધ કરવાનો DPG દ્વારા નિર્ણય લેવાયો છે.
રાજ્યમાં આવેલી ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય
DGPએ તમામ જિલ્લા પોલીસવડાને કર્યો આદેશ
આંતરરાજ્ય ચેકપોસ્ટ બંધ કરવાનો DGPનો નિર્ણય
ફાળવેલ મહેકમને અન્ય સ્થળે ફરજમાં લેવાનો આદેશ
આજથી આતંરરાજ્ય ચેકપોસ્ટ બંધ કરીને ત્યાં કાર્યરત પોલીસ જવાનોને બીજા કામે લગાડવામાં આવ્યા છે ત્યારે સામે 31મી ડિસેમ્બર ઉભી છે અને બોર્ડરો આમ રેઢી મૂકવી કેટલી યોગ્ય છે તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. રાજ્યની આશરે 200થી વધુ ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
શામળાજીની આતંરરાજ્ય પોલીસ ચેકપોસ્ટ આજથી બંધ
રાજ્યમાં સૌથી વધુ દારૂ ઝડપતી રતનપુર ચેકપોસ્ટ આજથી બંધ કરી દેવામાં આવી છે ત્યારે રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં મોકળુ મેદાન મળશે. 31 ડિસેમ્બરને લઇ બુટલેગર મોટી સંખ્યામાં દારૂનો સ્ટોક કરી શકે છે.
દારૂ સહિતનો આપત્તીજનક મુદ્દામાલ ઘુસી શકે છે રાજ્યમાં
રાજ્યમાં દારૂ સહિતનો આપત્તીજનક મુદ્દામાલ બે રોકટોક ઘુસશે. આતંરરાજ્ય ચેકપોસ્ટ ઉપર કોઈ બંધન ન રહેતા ગુનાખોરી વધી શકે છે.