ગુજરાતમાં કોરોના વાયરસના કહેરમાં પણ સરકાર અડીખમ રહી હોવાનું કહેતા આજે નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલે SG હાઈવે પર બની રહેલા સિક્સ લેનના કામના સ્થળની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે ગુજરાત સરકારના પ્રયાસો અને શ્રમિકોને ફરી પાછા કામ ધંધે વળગાળવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. DYCMની આ મુલાકાતથી એવો ગણગણાટ ઉભો થયો છે કે, ગુજરાતમાં 17મી બાદ સંપૂર્ણ લોકડાઉન ઉઠી જશે.
કોરોનાની સારવારને લઈને નીતિન પટેલનું નિવેદન
દર્દીઓને વિના મૂલ્યે સારવાર અપાઈ રહી છે
રાજ્યમાં માર્ગ અને મકાન વિભાગે ફરી શરૂ કર્યુ કામ
નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે પત્રકારો સાથેની વાતચીતમાં નોકરી, વેપાર-ધંધા અંગે પણ વાત કરી હતી અને શ્રમિકોને વતન મોકલવાને બદલે વળી પાછા કામ ધંધે વળગાળવાના સંકેતો આપ્યા હતા. DYCMની વાતથી એવો ગણગણાટ ઉઠ્યો છે કે, લોકડાઉન 4.0 નહીં આવે.
રાજ્યમાં માર્ગ અને મકાન વિભાગે ફરી શરૂ કર્યુ કામ
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વધુમાં ઉમેર્યુ હતુ કે, નર્મદા-સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલનું કામ શરૂ કરાયું છે. માર્ગ મકાન વિભાગના બંધ કામ શરૂ કરાયા છે. શ્રમિકોને પાછા કામમાં જોડવા તે કપરું કામ હતું. હાલમાં 300થી વધુ કામ ચાલુ છે અને બીજા વિભાગના કામ પણ ચાલુ કરાયા છે. બધાને રોજગારી મળે તેવા અમારા પ્રયાસ છે. કામો મંજૂર થયા છે તે ઝડપથી પૂર્ણ કરાશે. સરખેજથી ગાંધીનગર સુધીનો રસ્તો સિક્સલેન બની રહ્યો છે. ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં બ્રિજનું કામ પૂર્ણ થશે. બ્રિજના કારણે ટ્રાફિક હળવો બનશે. સાણંદ પાસે પણ ઓવરબ્રિજ બની રહ્યો છે.
કોરનાની સારવાર અંગે શું કહ્યુ DYCM નીતિન પટેલે?
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતુ કે, દર્દીઓને વિના મૂલ્યે સારવાર અપાઈ રહી છે. એક ઈન્જેક્શનની કિંમત 35 હજાર રૂપિયા છે. દર્દીઓને ટોસિલિજૂમબનું ઈન્જેકશન અપાઈ રહ્યુ છે. મુંબઈમાં ટોસિલિજૂમબનું ઈન્જેકશન કારગત નીવડ્યું છે. દર્દીઓને મફતમાં આ ઈન્જેક્શન અપાઈ રહ્યું છે.