ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આજે નવા કોરોનાના વધુ 419 કેસ નોંધાતા હડકંપ મચ્યો છે. 218 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 2229 પહોચી ગઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 2 દર્દીઓની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે. રાહતની વાત એ છે કે આજે કોરોનાને લીધે કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી.
શહેરોમાં કોરોના કેસ વધ્યા
જો મોટા શહેરોની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 166 કેસ, સુરત કોર્પોરેશનમાં 62, વડોદરા કોર્પોરેશનમાં 35, ભાવનગર કોર્પોરેશનમાં 30, જામનગર કોર્પોરેશનમાં 10, ગાંધીનગર કોર્પોરેશનમાં 07 અને રાજકોટ કોર્પોરેશનમાં પણ 07 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે.
જિલ્લા પ્રમાણે કોરોના કેસ
13 દિવસમાં 3331 કેસ નોંધાયા
ચિંતાની વાત એ છે કે 11 જુનથી 24 જુન સુધીમાં 3331 કેસ કોરોનાના ગુજરાતમાં નોંધાયા છે જ્યારે જ્યારે છેલ્લા 6 દિવસની સરખામણીએ એવરેજ 303 કેસ રાજ્યમાં બહાર આવી રહ્યા છે.
સાજા થવાનો દર 98.92 ટકા
અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના કુલ 10946 મૃત્યુ થયા છે, ગુજરાતભરમાં આજે કુલ 43,049નાગરિકોનું રસીકરણ સાથે રાજ્યમાં રસીના કુલ 11.11કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે. ગુજરાતમાં કોરોના સામે સાજા થવાનો દર 98.92 ટકા પહોચ્યો છે.