ગુજરાતમાં કોરોનાગ્રસ્ત કુલ 2 દર્દીઓની વેન્ટિલેટર પર સારવાર, રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1524 પહોંચી
ગુજરાતમાં કોરોનાના વધતાં કેસોએ વધારી ચિંતા
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના વધુ 226 કેસ
ગુજરાતમાં બિલ્લી પગે કોરોના કેસોમા સતત વધારો જોવા મળી રહ્યો છે. તેમાંય 6 દિવસથી કોરોનાએ બેવડી સદી મારી રહ્યો છે એટલે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 226 કેસ નોંધાયા છે. તો આજે કોરોનાને લીધે કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી. 163 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 1524 પહોચી ગઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 2 દર્દીઓની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે.
અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કુલ 108 કેસ પોઝિટિવ આવ્યા છે. સુરતમાં 37 કેસ, વડોદરામાં 28 કેસ, ગાંધીનગરમાં 10 કેસ, ભાવનગરમાં 4 કેસ, મહેસાણામાં 5 કેસ, જામનગરમાં 4 કેસ, રાજકોટમાં 7 કેસ,કચ્છમાં 5 કેસ ,વલસાડમાં 5 કેસ નવસારીમાં 4 કેસ, ભરૂચમાં 2 કેસ, અમરેલી-આણંદ જિલ્લામાં કોરોનાના એક-એક કેસ દાખલ ખેડા અને તાપીમાં પણ એક-એક કોરોનાના કેસ દાખલ થયા છે.
સાજા થવાનો દર 98.98 ટકા
અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના કુલ 10946 મૃત્યુ થયા છે, ગુજરાતભરમાં આજે કુલ 55,584નાગરિકોનું રસીકરણ સાથે રાજ્યમાં રસીના કુલ 11.09 કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે. ગુજરાતમાં કોરોના સામે સાજા થવાનો દર 98.98 ટકા પહોચ્યો છે.