આજે 110 ઘરોના 452 લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટમાં મુકાયા, 4 વિસ્તારને ઝોન માંથી મુક્ત પણ કરવામાં આવ્યા
અમદાવાદમાં વધુ 16 વિસ્તારો માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં
સૌથી વધુ ઉત્તર-પશ્ચિમ ઝોનના 5 વિસ્તારોનો સમાવેશ
દક્ષિણ-પશ્ચિમ ઝોનના જોધપુર અને સરખેજના વિસ્તારનો સમાવેશ
અમદાવાદ હાલની સ્થિતિએ કોરોનાનું એપીસેન્ટર બની ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે. આજે અમદાવાદ શહેરમાં 1835 કેસ સામે આવતા જાણે કોરોના બોમ્બ ફૂટ્યો હોય તેવુ લાગી રહ્યું છે. ત્યારે AMC સતર્ક થઈ સતત માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં વધારો કરી રહી છે. આજે વધુ શહેરના 16 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
જેમાં સૌથી વધુ ઉત્તર-પશ્ચિમ ઝોનના 5 વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. દક્ષિણ-પશ્ચિમ ઝોનના જોધપુર અને સરખેજના તેમજ પશ્ચિમ ઝોનના 3 વિસ્તારને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. મધ્ય ઝોનના એક વિસ્તાર, દક્ષિણ ઝોનના મણિનગર અને કાંકરિયાના 3 વિસ્તારો, પૂર્વ ઝોનના નિકોલ નજીકના 2 વિસ્તારો સાથે આજે 110 ઘરોના 452 લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટમાં મૂકી દેવામાં આવ્યા છે. શહેરમાં હવે માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારની સંખ્યા વધીને 120 થઇ ગઈ છે.
આજે ગુજરાતમાં 4213 કેસ માંથી અમદાવાદના શહેરના જ 1835 કેસ
ગુજરાતમાં જાણે કોરોના કેસોનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 4213 કેસ સામે આવતા ત્રીજી લહેરની ઘાતક શરૂઆત થઈ ચૂકી છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 1835 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 1105 કેસ તો વડોદરામાં 116, કેસ અને રાજકોટ શહેરમાં 183 અને ગ્રામ્યમાં 41 કેસ સામે આવ્યા છે.આજે 5.01 લાખ લોકોને વેક્સિન આપવામાં આવતા અત્યાર સુધીમાં કુલ 9.23 કરોડ વેક્સિનના ડોઝઅપાઈ ચૂક્યા છે.તમામ આરોગ્ય અધિકારીઑ અને કર્મચારીઓની રજા પણ રદ્દ કરી નાખવામાં આવી છે.કોરોના કેસ વધતા આરોગ્ય વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.