અમદાવાદમાં ત્રીજી લહેરમાં કોરોનાએ આતંક મચાવ્યો છે. રોજે રોજ શહેરમાંથી લગભગ 2 હજારની આસપાસ કોરોના પોઝિટિવ કેસો બહાર આવી રહ્યા છે જે બહુ મોટી ચિંતાનો વિષય તંત્ર માટે છે. ત્યારે કોરોના બેલગામ થતો અટકાવવા શહેરમાં વધુ 21 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. જ્યારે 16 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન માંથી મુક્તી આપી દેવામાં આવી છે. પૂર્વ ઝોનમાં વસ્ત્રાલ, હાટકેશ્વર અને નિકોલમાં વિસ્તારમાં વધુ કેસો બહાર આવતા અમુક વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મૂકી દેવામાં આવ્યા છે.ગોદરેજ ગાર્ડન સિટીના તીવોલી ફ્લેટના 48 ઘરો તેમજ કુલ અલગ અલગ 21 વિસ્તારોના 152 ઘરોના 580 લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે.અમદાવાદમા માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા 172 પહોચી ગઈ છે.
હાલમાં શહેરમાં કુલ 172 માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન અમલમાં છે.
ત્યારે #COVID19 સંક્રમણ અટકાવવા અ.મ્યુ.કો. દ્વારા આજે જાહેર કરાયેલા નવા કુલ 21 માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનની યાદી. pic.twitter.com/oEw1eGH5T1
આજે રાજ્યમાં 6097 કોરોના કેસ
રાજ્યમાં 6 હજાર 97 કોરોના કેસ નોંધાયા છે. જયારે એર હજાર 539 દર્દીઓ સાજા થયા છે. અને 2 દર્દીઓના મૃત્યુ થયા છે. તો રાજ્યમાં ઓમિક્રોનના વધુ 28 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ 29 દર્દીઓ વેન્ટિલેટર પર છે. અમદાવાદમાં એક હજાર 923 કોરોના કેસ, સુરતમાં એક હજાર 892 કેસ, વડોદરામાં 470, રાજકોટમાં 249 કેસ, ગાંધીનગરમાં 195, ભાવનગરમાં 108 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં 3.82 લાખ લોકોને રસી આપવામાં આવી છે.