ગુજરાતમાં વાવાઝોડાના ખતરાને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓ સાથે વાતચીત કરી છે. જેને લઇને મુખ્યમંત્રી રાજ્યના લોકોને આગામી 3 અને 4 તારીખે વિશેષ ધ્યાન રાખવા અપીલ કરી છે. સીએમ રૂપાણીએ કહ્યું કે રાજ્યમાં 3 તારીખે વાવાઝોડું ટકરાય તેવી શક્યતા છે. રાજ્યનું જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે.
સીએમ રૂપાણીએ સંબોધન કરતાં કહ્યું કે વાવાઝોડું ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે પસાર થશે. દક્ષિણ ગુજરાતના તમામ જિલાને હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે. જો કે ભાવનગર અને અમરેલીમાં હાઇ એલર્ટ પવન સાથે વરસાદ થવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. સીએમ રૂપાણીએ રાજ્યના લોકોને 3 અને 4 તારીખે વિશેષ ધ્યાન રાખવા અપીલ કરી છે.
CM રૂપાણીનું સંબોધનની વિશેષ વાતો...
સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાને એલર્ટ કરવામાં આવ્યા
કોરોના સાથે કુદરતી વાવાઝોડાની સાથે સમીક્ષા કરી
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માછીમારી પાછા બોલાવવામાં આવ્યા
અગરિયાને ખસેડવાની સૂચના આપી દેવામાં આવી
ઈલેક્ટ્રિક વિભાગને પણ એલર્ટ કરાયો છે
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માછીમારોના પાછા બોલાવાયા
અમરેલી, ભાવનગરમાં 3 અને 4 તારીખે લોકો બહાર ન નીકળે