ગાંઘીનગર: રાજ્યમાં મગફળીના ગોડાઉનોમાં લાગેલી આગને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે આ મામલે સરકાર દ્વારા તપાસપંચની રચના કરવામાં આવી છે.
હાઇકોર્ટના નિવૃત જજની અધ્યક્ષતામાં ન્યાયિક તપાસપંચની રચના કરવામાં આવી છે. તો બીજી તરફ હવે કોંગ્રેસ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે કે ભાજપે પોતાના કૌંભાડ છુપાવવા માટે તપાસ પંચની રચના કરી છે.
સીએમ વિજયભાઇ રૂપાણીએ મગફળી ગોડાઉનમાં લાગેલી આગના બનાવના કારણો અને જવાબદારોને શોધી કાઢવા કમિશન ઓફ ઇન્કવાયરી એકટ હેઠળ હાઇકોર્ટના નિવૃત જજનું એક ન્યાયિક તપાસ પંચ રચવાનો નિર્ણય કર્યો છે. આ પંચ ઝડપથી પોતાની નિષ્પક્ષ તપાસ પૂર્ણ કરીને અહેવાલ રજૂ કરશે.