કેન્દ્રની મોદી સરકારે પૂર્વ CBI સ્પેશ્યલ ડિરેક્ટર અને ગુજરાત કૅડર (1984 બૅચ)ના IPS અધિકારી રાકેશ અસ્થાનાની દિલ્હી પોલીસ કમિશ્નર તરીકે નિમણૂક કરી છે.
રાકેશ અસ્થાનાની દિલ્હી પોલીસ કમિશ્નર તરીકે નિમણૂક
રાકેશ અસ્થાના પૂર્વ CBI સ્પેશ્યલ ડિરેક્ટર
ગુજરાત કૅડર (1984 બૅચ)ના IPS અધિકારી છે
એસ.એસ.દેવસ્વાલને BSFના DGનો વધારાનો ચાર્જ સોંપાયો
એસ.એસ.દેવસ્વાલને BSFના DGનો વધારાનો ચાર્જ સોંપાયો
રાકેશ અસ્થાનાની દિલ્હી પોલીસ કમિશ્નર તરીકે નિમણૂક થતા બીએસએફના ડીજી તરીકે એસ.એસ.દેવસ્વાલની નિયુક્તી કરવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહમંત્રાલયે નિયુક્તીને મંજૂરી આપી
કેન્દ્રીય ગૃહમંત્રાલયે તેમની નિયુક્તીની લીલીઝંડી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસ કેન્દ્રીય ગૃહમંત્રાલયની સીધી દેખરેખ હેઠળ આવે છે. કેન્દ્ર સરકાર જ દિલ્હી પોલીસ કમિશનરની નિયુક્તી કરતી હોય છે.
કોણ છે રાકેશ અસ્થાના?
રાકેશ અસ્થાના ૧૯૮૪ની બેચના IPS ઓફિસર છે, જેમનો ભૂતકાળ ઘણો રસપ્રદ રહ્યો છે. તેમનો જન્મ ઝારખંડમાં રાંચીમાં થયો હતો અને IPS બનતા પહેલા તેઓ ઇતિહાસના પ્રોફેસર હતા. તેમણે CBIના સ્પેશીયલ ડાયરેક્ટર તરીકે કામગીરી કરી હતી જેમાં તે સમયના CBIના નિયામક અલોક વર્મા સાથે તેમનો વિવાદ બહુ જ પ્રચલિત બન્યો હતો. આ સિવાય ગુજરાતમાં અમદાવાદના બ્લાસ્ટનો કેસ તેમની કારકિર્દીમાં મહત્વપૂર્ણ છે જેમાં તેમણે તે કેસને માત્ર 22 દિવસમાંજ ઉકેલી નાખ્યો હતો. આ સિવાય ગુજરાતમાં આસારામ અને નારાયણ સાઈના કેસ વખતે પણ તેમણે મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી.
BSFના DG સાથે અન્ય વિભાગનો વધારાનો ચાર્જ સંભાળતા હતા
18 ઓગસ્ટ 2020ના રોજ રાકેશ અસ્થાનાની નિમણૂક BSFના DG પદે કરાઈ હતી અને આ સાથે તેમને NCBના DG તરીકેનો પણ વધારાનો ચાર્જ પણ હતો. તે અગાઉ તેઓ નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યૂરો (BCAS) સાથે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) ના DG નો ચાર્જ સંભાળી રહ્યા હતા. મૂળે ઝારખંડના અસ્થાનાએ ખાણ કામ માટે પુરા દેશમાં પ્રખ્યાત ધનબાદના લાંચ કેસમાં DGMS એટલે કે Directorate General Of Mines Safetyના ડીજીની ધરપકડ કરી હતી. આ દેશમાં તે પ્રકારનો પ્રથમ કેસ હતો જેમાં કોઈ ડીજીની ધરપકડ થઇ હોય .
CBIના સ્પેશ્યલ ડિરેક્ટર પદે પણ રહી ચૂક્યાં છે
ગુજરાત સાથે અસ્થાનાની કારકિર્દી લાંબી રહી છે. સુરત શહેરમાં સૌથી વધુ સમય પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવનારા પોલીસ કમિશનર રહી ચૂક્યાં છે. આસારામ બાપુ અને એમના પુત્ર નારાયણને સંડોવતા બળાત્કારના કેસ વખતે અસ્થાના સુરતના પોલીસ કમિશનર હતા. પોલીસ કમિશનર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન શહેરને કમાન્ડ એન્ડ કંટ્રોલથી સજ્જ કર્યું હતું. ત્યાર બાદ રાકેશ અસ્થાનાની 23 ઓકટોબર 2017માં CBIમાં સ્પેશિયલ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. CBIના એડીશનલ ડિરેક્ટર તરીકે રાકેશ અસ્થાનાની નિમણુક કરાઇ તે પહેલા તેઓ ગાંધીનગર ખાતે હથીયારી યુનીટમાં ટુંકા ગાળા માટે સેવા આપી ચૂક્યાં છે.