- 8 મનપા-23 ન.પામાં પાણી,ગટર,પરિવહન સુવિધા માટે 650 કરોડ
- ફૂડ પ્રોસેસિંગ એકમ દીઠ 10 લાખની સહાય
- STમાં નવી 1,000 બસ જેમાં 50 ઈલેકટ્રીક બસ
વ્યાપર ધંધામાં ગ્રોથ આવશેઃ નીતિન પટેલ
નાણામંત્રી નીતિન પટેલે બજેટ બજેટ રજૂ કર્યા બાદ નીતિન પટેલે કહ્યું હતું કે 2 લાખ 27 હજાર 29 કરોડનું બજેટ છે. જેમાં GST આવક થાય તે માટે ઉદ્યોગ-ધંધા સરભર કરાશે. ગુજરાતમાં તબક્કામાં વ્યાપાર, ઉદ્યોગ-ધંધા ચાલુ થયા જેથી રાજ્ય સરકારની આવકમાં વધારો થયો છે. નીતિન પટેલે કહ્યું કે સમાજના સર્વાંગી વિકાસ માટે યોજના જાહેર કરાઇ છે. સાગરખેડુ-2 અમલમાં મૂકવામાં આવી છે જેથી ગુજરાતના વિકાસનો દરિયાખેડૂને પણ લાભ મળશે.
આપણા કરતા 14 રાજ્યોમાં પેટ્રોલ રેટ વધુ છેઃ નીતિન પટેલ
નોંધનીય છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે અને મોંઘવારીથી હેરાન પરેશાન જનતાને આશા હતી કે ઈંધણના ભાવ માટે સરકાર કોઈ પગલાં લે. જોકે તે દિશામાં બજેટમાં કોઈ જ રાહત આપવામાં આવી નથી ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઇ નીતિન પટેલે કહ્યું હતું કે ગુજરાતમાં સૌથી ઓછો વેટ છે. અને ગુજરાત કરતા 14 રાજ્યોમાં પેટ્રોલનો ભાવ વધારે છે. એટલે હાલ કોઇ વેટ ઓછું કરવાની જોગવાઇ નથી. નીતિન પટેલે કહ્યું કે બીજા રાજ્યોમાં વેટ વધારે લેવામાં આવે છે ત્યારે હાલ આ અંગે કોઈ વિચારણા કરવી યોગ્ય અને વ્યાજબી નથી.
વધુ રોજગારીના નિર્માણનું સરકારનું લક્ષ્ય
નાણામંત્રી નીતિન પટેલ દ્વારા વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં યુવાનોને આકર્ષવા માટે રોજગાર ક્ષેત્રે કેટલીક જાહેરાતો કરાઈ છે. સરકાર દ્વારા આગામી 5 વર્ષમાં અનેક ક્ષેત્રે નવું રોજગાર ઉભું કરવાની જાહેરાત કરાઈ છે. જેમાં સરકારની જાહેરાત પ્રમાણે અંદાજે 2 લાખ યુવાનોને તક પ્રાપ્ત થશે. આ ભરતી અલગ અલગ સેક્ટરમાં યોજાશે. સરકારી વિભાગો, મહાનગરપાલિકા અને પાલિકા, ગ્રાન્ટેડ સંસ્થા, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો સમાવેશ થાય છે.
નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કેંન્દ્ર સરકારના સહયોગથી ગોધરા-મોરબીમાં નવી મેડિકલ કોલેજ આકાર પામશે. જેના માટે 50 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. PM જન આરોગ્ય અને CM માં-વાત્સલ્ય યોજના માટે 1106 કરોડ રૂપિયા રાજ્ય સરકારના 2021-22ના બજેટમાં ફાળવવામાં આવ્યા છે.
નવી 150 એમ્બ્યુલન્સ માટે 30 કરોડ ફાળવાયા
વહેલા જન્મતા બાળકોની સારવાર માટે 145 કરોડ રૂપિયાની ફાળવણીની જાહેરાત નીતિન પટેલે બજેટમાં કરી હતી. આ સાથે જ 108 એમ્બ્યુલન્સ સર્વિસમાં વધુ નવી 150 એમ્બ્યુલન્સ ઉમેરાશે તેવી જાહેરાત કરી હતી. તો નવી 150 એમ્બ્યુલન્સ માટે 30 કરોડની જોગવાઇ કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કરેલ.
સુરતની જનતાને ખુશખબર આપતા નાણામંત્રીએ કહ્યું હતું કે, કિડની હોસ્પિટલને અદ્યતન બનાવવા 25 કરોડની ફાળવણી કરવામાં આવી છે આ સાથે જ વધુ 9 જિલ્લામાં મેડિકલ વેક્સિન સ્ટોર માટે 3 કરોડ ફાળવવામાં આવ્યા છે. તો રાજ્યની 20 સિવિલ હોસ્પિટલોમાં આર્યુવેદિક પદ્ધતિથી પંચકર્મ સારવાર અપાશે