સિંહોને ખોરાક વધારવા માટે સાંભર બ્રીડિંગ સેન્ટર બનશે
સાંભર બ્રીડિંગ સેન્ટર માટે 10 કરોડની જોગવાઇ
20 સાંસ્કૃતિક વનોના નવીનીકરણ માટે 10 કરોડ
મહિલા અને બાળ વિકાસ માટે રૂ.3511 કરોડની જોગવાઇ
સશક્ત મહિલા સુપોષિત ગુજરાત અભિયાન
53 હજાર આંગણવાડીઓ ચલાવવામાં આવી રહી છે
60 લાખ કરતા વધુ બાળકો, સગર્ભા, મહિલાઓને લાભ મળે છે
પૂરક પોષણ અને આરોગ્ય શિક્ષણનો લાભ મળે છે
પૂરક પોષણ યોજના માટે રૂ.939 કરોડની જોગવાઇ
ગંગા સ્વરૂપા આર્થિક સહાય માટે રૂ.700 કરોડની જોગવાઇ
8 લાખ કરતા વધુ વિધવા મહિલાઓને મળે છે લાભ
પૂર્ણા યોજના અંતર્ગત રૂ.220 કરોડની જોગવાઇ
યાત્રાધામ માટે 154 કરોડની જોગવાઇ
ગુજરાતના બજેટમાં નાગરિક ઉડ્ડયનને લઇ નિર્ણય
અમદાવાદ,સોમનાથ,અંબાજી ખાતે હેલીપોર્ટ વિકસાવાશે
સાપુતારા,ગીર અને દ્વારકા ખાતે હેલીપોર્ટ વિકસાવાશે
કાયમી ધોરણે હેલીપોર્ટ વિકસાવવા માટે 3 કરોડની જોગવાઇ
બજેટમાં શિક્ષણને શું મળ્યું?
3400 શાળાઓમાં સુવિધાઓ વિકસાવવા 1207 કરોડ
ધો.1થી 8ના બાળકોને મધ્યાહન ભોજન માટે 1044 કરોડ
RTE હેઠળ ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે 567 કરોડ
વિદ્યાર્થીઓને ST બસ ફી પાસ કન્સેશન માટે 205 કરોડ
કોલેજના પ્રવેશ મેળવાનાર વિદ્યાર્થીઓને ટેબ્લેટ માટે 200 કરોડ
માધ્યમિક-ઉ.માધ્યમિકના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક માટે 65 કરોડ
1 કિમી દૂરની શાળાવાળા વિદ્યાર્થીઓના ટ્રાન્સપોર્ટેશન માટે 60 કરોડ
ઐતિહાસિક મહત્વવાળી શાળાઓને હેરિટેજ તરીકે વિકસાવવા 25 કરોડ
PHDના વિદ્યાર્થીઓ માટે શોધ યોજના અંતર્ગત 20 કરોડ
સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ વિકસાવવા માટે 20 કરોડની જોગવાઇ
37 સંસ્કૃત પાઠશાળાઓના સુદ્વઢીકરણ-મિશન ગુરુકુળ માટે 10 કરોડ
આદિજાતિ વિકાસ માટે રુ 2656 કરોડની ફાળવણી :
આદિવાસી વિસ્તારમાં મોબાઇલ કનેક્ટીવીટ પર જોર
આદિવાસી વિસ્તારમાં મોબાઇલ ટાવર માટે રૂ 10 કરોડ
આદિવાસી વિસ્તારમાં સ્માટ ક્લાસરુમ માટે રૂ 9 કરોડ
નર્મદા માટે બિરસા મુંડા યુનિ માટે રૂ 36 કરોડ રુપિયા
આદિવાસી વિદ્યાર્થીની શિષ્યવૃતિ માટે રૂ 365 કરોડ
એસટી સમરસ છાત્રાલય માટે રૂ 22 કરોડ
શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ માટે 13493 કરોડ
બજેટમાં શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ માટે 13 હજાર 493 કરોડની ફાળવણી કરાઇ છે. રાજ્યની મહાનગર પાલિકા અને નગરપાલિકા, શહેરી વિકાસમંડળો માટે 4 હજાર 563 કરોડ ફાળવાયા છે. 2022 સુધીમાં 55 હજાર આવાસોનું નિર્માણ કરાશે. 55 હજાર આવાસોના નિર્માણ માટે 900 કરોડની જોગવાઇ કરાઇ છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર મનપાને સ્માર્ટ સિટી હેઠળ રકમની જોગવાઇ કરાઇ છે. 5 મનપા અને ગોધરા નગરપાલિકાને સ્માર્ટ સિટી હેઠળ 700 કરોડની જોગવાઇ કરાઇ છે. જ્યારે 8 મનપા-23 નપામાં પાણી,ગટર,પરિવહન સુવિધા માટે 650 કરોડ, સ્વચ્છ ભારત મિશન-નિર્મળ ગુજરાત હેઠળ 200 કરોડ, મહિલા ઉત્કર્ષ યોજનામાં 1 લાખ સુધી વ્યાજ વિના ધિરાણ માટે 80 કરોડની જોગવાઇ કરાઇ છે. ભૂગર્ભ ગટર યોજના માનવબળ રહિત સંચાલન માટે 50 કરોડ, અગ્રિશમન વાહનો-અત્યાધુનિક સાધનો માટે 39 કરોડ, ફાયર સેફ્ટિ કોપ પોર્ટલથી તાલીમ-પ્રમાણપત્ર માટે 20 કરોડની ફાળવણી કરાઇ છે. જ્યારે રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગરમાં મેટ્રો લાઇનનું આયોજન કરાશે. 4 મહાનગરોમાં મેટ્રો સેવા પૂરી પાડવાના આયોજન માટે 50 કરોડની ફાળવણી કરાઇ છે. સરકારની ગિફ્ટ સિટી કંપનીમાં મૂડી રોકાણ માટે 100 કરોડની જોગવાઇ કરાઇ છે.
બજેટમાં સામાજિક ન્યાય વિભાગ માટે રૂ.4353 કરોડની જોગવાઇ કરાઇ
બજેટમાં સામાજિક ન્યાય વિભાગ માટે રૂ.4353 કરોડની જોગવાઇ કરાઇ છે. જેમાં બિનઅનામત રોજગારલક્ષી યોજનાઓ માટે રૂ.500 કરોડની ફાળવણી, વૃદ્વ પેન્શન, નિરાધાર વૃદ્વ યોજના માટે રૂ.1032 કરોડની જોગવાઇ કરાઇ છે. તો ST, વિકાસતી જાતિ શિષ્યવૃતિ માટે રૂ.549 કરોડ, આંબેડકર આવાસ યોજના સહાય માટે રૂ.159 કરોડની જોગવાઇ કરાઇ છે. જ્યારે દિવ્યાંગો સશક્તિકરણ માટે રૂ.53 કરોડ, માનવ ગરિમા યોજના હેઠળ રૂ.44 કરોડની જોગવાઇ કરાઇ છે. જ્યારે ST અને વિકસતી જાતિ કુંવરબાઇ મામેરૂ યોજના હેઠળ રૂ.40 કરોડ ફાળવ્યા છે. કુંવરભાઇ મામેરૂ યોજનામાં રૂ. 2 હજાર કરોડનો વધારો કરી12 હજાર કરાઇ છે. તો રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના માટે રૂ.19 કરોડ, સાતફેરા સમુહ લગ્ન સહાય યોજના માટે રૂ.10 કરોડની ફાળવણી કરાઇ છે. તો 80 ટકાથી વધુ બૌદ્વિક અસમર્થતાવાળા દિવ્યાંગને માસિક 1 હજાર અપાશે. જ્યારે દિવ્યાંગ લગ્ન સહાય માટે રૂ.8 કરોડની જોગવાઇ અને આદર્શ નિવાસી શાળાઓના વિકાસ માટે રૂ.3 કરોડની ફાળવણી કરાઇ છે. સાથે જ ઇ-લર્નિંગ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. અને 3 નવા સરકારી છાત્રાલય બાંધકામ માટે રૂ.3 કરોડની ફાળવણી કરાઇ છે.
નીતિન પટેલે કહ્યું કે નરેન્દ્ર મોદીએ નાખેલો પાયો એકદમ મજબૂત છે હવે માત્ર ઉપરના માળ જ તૈયાર કરવાના છે.
નીતિન પટેલે કહ્યું કે વડાપ્રધાન મોદીએ સતત માર્ગદર્શન આપ્યું હતું અને તેમાં તેમણે આયુર્વેદિક દવાઓ પર ભાર મૂક્યો હતો અને તે માટે અમે કરોડો લોકોને ઇમ્યુનિટી માટે પડીકી અને ઉકાળા આપ્યા.
નીતિન પટેલે કહ્યું કે રાજ્યના બધા જ જિલ્લાઑમાં વ્યવસથા ઊભી કરવામાં આવી. તેમણે કહ્યું કે કેટલાક રાજ્યોમાં તંબુઑ બાંધવા પડ્યા અને સ્ટેડિયમમાં દર્દીઑ રાખવા પડ્યા હતા પરંતુ ગુજરાતમાં ખૂબ મોટી વ્યવસ્થા ઊભી કરવામાં આવી અને તે બદલ વિજય રૂપાણીનો આભાર માનું છું. આવું સુંદર આયોજન આખા ભારતમાં માત્ર ગુજરાતમાં થયું છે,.
કોરોના મહામારીમાં ગુજરાત સરકારે યોગ્ય કામગીરી કરી
ગુજરાતના બજેટની શરૂઆતમાં નીતિન પટેલે કોરોનાકાળનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું કે ભારતે વિકસિત દેશો કરતાં પણ સારું કામ કર્યું છે.
બજેટ રજૂ કરવા માટે નીતિન પટેલ વિધાનસભા પહોંચ્યા છે, સાથે જ સીએમ રૂપાણી અને અન્ય ધારાસભ્યો પણ વિધાનસભા પહોંચી રહ્યા છે.
બજેટ વિકાસલક્ષી હશેઃ નીતિન પટેલ
આજે ગુજરાતનું બજેટ રજૂ કરતાં પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે આત્મનિર્ભર ગુજરાતની જે યોજના જાહેર કરવામાં આવી છે તેથી ઘણો મોટો ખર્ચ રાજ્ય સરકારે કરવો પડ્યો તેથી તે પ્રમાણે ગુજરાતની જનતાને લાભ મળે તે માટે શક્ય તેટલી જોગવાઈ કરવામાં આવી છે.
જે રકમ જાહેર થશે તેનાથી દરેક વર્ગને થશે લાભઃ નીતિન પટેલ
વિધાનસભા માટે રવાના થતાં પહેલા નીતિન પટેલે કહ્યું કે બજેટ વિકાસ લક્ષી હશે અને સુખ-શાંતિ જળવાઇ રહે એ પ્રમાણેનું બજેટ હશે. જે રકમ જાહેર થશે તેનાથી દરેક વર્ગને લાભ થશે. સાથે જ ગઇકાલની ચૂંટણી પરિણામને લઈને તેમણે કહ્યું કે ગઇકાલે ચૂંટણીમાં ભાજપને મોટુ સમર્થન મળ્યું તેથી અમારી જવાબદારી વધી છે અને અમે પ્રજા પ્રત્યે વધુ સારા કામ કરીશું. બજેટના માધ્યમથી લોકોને વધુ રાહત આપીશું.
આજે વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ થશે
ગુજરાત સરકાર પ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ કરશે અને નીતિન પટેલ આજે 9મી વખત બજેટ આપવા જઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે ગુજરાતનું વર્ષ 2021-22નું બજેટ ઓનલાઇન પણ જોઇ શકાશે, અગાઉ સરકારે ઓનલાઈન બજેટ માટે એપ્લિકેશન પણ લોન્ચ કરી છે.
લોકો એપ્લિકેશનમાં બજેટને લઇ તમામ વિગતો જોઇ શકશે
નોંધનીય છે કે ગુજરાત પહેલુ રાજ્ય છે જ્યા મોબાઇલ એપ પર બજેટ મુકાશે જેમાં ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં તમામ દસ્તાવેજ ઉપલબ્ધ હશે. લોકો એપ્લિકેશનમાં બજેટને લઇ તમામ વિગતો જોઇ શકશે તથા એપ્લિકેશનમાં ગત વર્ષના બજેટના દસ્તાવેજોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બજેટ એપ.માં 26 વિભાગના પ્રકાશન મુકવામાં આવશે.