ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે આજે બેઠક યોજી અને ગુજરાતના મંત્રીઓ અને સાંસદો સાથે વન ટુ વન બેઠક કરી હતી
2022ની ચૂંટણીને લઇને ભાજપની તૈયારીઓ
પ્રદેશ ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે કરી બેઠક
મંત્રીઓ અને સાંસદો સાથે વન ટુ વન બેઠક કરી
ગુજરાતમાં ત્રણ દિવસના પ્રવાસ પર આવેલા ગુજરાત ભાજપના પ્રભાર ભૂપેન્દ્ર યાદવને અચાનક બીજા દિવસે જ દિલ્હીનું તેડું આવી ગયું છે. જો કે, ભૂપેન્દ્ર યાદવ ગુજરાત આવ્યા ત્યારથી જ રાજનીતિના બેડામાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ત્રણ દિવસના પ્રવાસ પૂર્ણ કરીને ભૂપેન્દ્ર યાદવ ગઈકાલ બપોર પછી દિલ્હી જવાના હતા. પરંતુ દિલ્હીનું તેડું આવ્યા બાદ ગઈકાલ સવારે જ દિલ્હી જવા માટે રવાના થશે. ભૂપેન્દ્ર યાદવ અચાનક વહેલા દિલ્હી જવા પાછળ પાટીદારોની બેઠક પણ કારણ હોઈ શકે છે. પાટીદારોની બેઠક બાદ રાજનીતિ અને ખાસ ભાજપમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
ભૂપેન્દ્ર યાદવને અચાનક દિલ્હીનું તેડું આવ્યું
2022ની ચૂંટણીને લઈ ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેને લઈ ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે આજે બેઠક યોજી હતી. અને ગુજરાતના મંત્રીઓ અને સાંસદો સાથે વન ટુ વન બેઠક કરી હતી. જેમાં કૌશિક પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે બેઠક કરી હતી. તો આ પછી પ્રદીપસિંહ જાડેજા, ગણપત વસાવા સાથે પણ વન ટુ વન બેઠક યોજી હતી. અને નેતાઓ સાથેની બેઠક બાદ ભૂપેન્દ્ર યાદવ CMના ઘરે ભોજન પણ લેશે. જો કે, આ વચ્ચે તેમને અચાનક દિલ્હીનું તેડું પણ આવી ગયું છે.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે, ભાજપમાં મોટા ફેરફાર થવાની શક્યતા
તો ગઈકાલે કોંગ્રેસના નેતા શૈલેષ પરમારના નિવેદન પછી તો ચર્ચાને વેગ પણ મળ્યો છે. શૈલેષ પરમારે કહ્યું કે, ગુજરાત ભાજપમાં મુખ્યમંત્રીની કામગીરીથી અસંતોષ છે. અને આગામી સમયમાં મોટા ફેરફાર જોવા મળશે. જો કે, સાંજ સુધીમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે જવાબ પણ આપી દીધો હતો. સી.આર પાટીલે કહ્યું કે, કોંગ્રેસને પાયા વગરની વાત કરવાની આદત છે. કોઈ પ્રદેશના પ્રભારી પોતાના કાર્યક્ષેત્રમાં આવે તે સામાન્ય વાત છે.